હળમતીયાની કુમાર શાળા,નવા પ્લોટ ખાતે મોતીયા અને વેલના ઓપરેશનની યોજનાનો ફ્રી કેમ્પ તારીખ ૧૬-૦૪-૨૦૨૩ને રવિવાર ના રોજ યોજાશે જેમા સવારે ૯ થી ૧ વાગ્યા સુધી ફ્રી સારવાર આપવમાં આવશે
યોજનાના ફાયદાઓ આ યોજના માં ફકત નેત્રમણીનો જ ચાર્જ દર્દીએ આપવાનો રહેશે તેમજ અન્ય ચાર્જ જેવાકે લેસર મશીન ચાર્જ, ઓપરેશન ચાર્જ ડોકટર ચાર્જ, ઓપરેશનમાં વપરાતી દવાનો ચાર્જ તથા એનેસ્થેસીયા ચાર્જ ફ્રી રહેશે.આંખની સંપૂર્ણ સારવાર અને સલામતી માટેના અદ્યતન ૧૦ મશીનો વડે ફ્રી તપાસ અને યુરોપના લેટેસ્ટ લેસર મશીન દ્વારા અદ્યતન ફેકોઇમસીફિકેશન પધ્ધતિથી ઓપરેશન કરવામાં આવશે.૦ થી ૧૦ વર્ષ તેમજ ૩૦,હજાર થી વધુ લેઝર ઓપરેશનનો અનુભવ ધરાવતા ડૉ. ચિખલીયા સાહેબ વડે તપાસ તથા ઓપરેશન કરવામાં આવશે યોજનાના કાર્ડના રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ લાવવું ફરજીયાત છે.તેવું સેવાભાવી સંસ્થા એ જણાવ્યું હતું.જેમાં ડો. કે. વી. ચિખલીયા(સુદીપ આંખની હોસ્પિટલ) સારવાર આપશે
