મોરબી: ભાજપના કાર્યકર્તા વીજપુરવઠાના અધિકારીને સૂચના આપવાની ભૂલી ગયા હશે ખરેખર જે રીતે રોડ રસ્તાની સાફ સફાઈ કરવામાં આવી તેમાં ઉતાવળમાં વીજપુરવઠો પણ બંધના થાય તેવું કહેવાનું હશે પણ ભુલ થઈ ગઈ હવે જિલ્લા ભાજપના પ્રમુખને કેવો ઠપકો આવશે એ તો ભાજપના નેતા જ જાણે ….પણ બન્યું એવું કે મુખ્યમંત્રીના ચાલુ કાર્યક્રમમાં વીજ લાઇન બંધ થતાં બધા આ ગરમીમાં પરસેવે રેબઝેબ થઈ ગયા હતા …પણ કોઈ કશું બોલે નહીં પણ કાર્યક્રમ પૂરો થશે ત્યારે જ જીલ્લા ભાજપને ખબર પડશે જ્યારે નેતા લાલઘુમ થશે …
રાજ્યની ભાજપ સરકાર ૨૪ કલાક વીજળી આપવાના દાવા કરતી હોય છે જોકે એ દાવાઓને આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જ વીજ તંત્રએ જુઠા સાબિત કરી દીધા હતા કારણકે મુખ્યમંત્રીનો કાર્યક્રમ શરુ થતા જ વીજળી ગુલ થઇ હતી.
રાજ્યની ભાજપ સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ થતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે મોરબી પધાર્યા છે જ્યાં તેઓ કાર્યકર્તાઓ, વહીવટી તંત્ર સહિતની પાંચ બેઠકોમાં હાજરી આપવાના છે જોકે આજે મુખ્યમંત્રી સ્કાય મોલ પહોંચ્યા અને કાર્યક્રમનો શુભારંભ કરાયો ત્યાં જ વીજળી ગુલ થઇ ગઈ હતી.
એક તરફ ૨૪ કલાક વીજળીના દાવા કરતી સરકારના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જ વીજળી ગુલ થતા કાર્યકરો પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા મોરબીમાં આમ પણ ગમે ત્યારે વીજળી ગુલ થઇ જતી હોય છે અને આજે મુખ્યમંત્રીના કાર્યક્રમની શરૂઆત સાથે જ વીજળી ગુલ થઇ ગઈ હતી.
મુળ સગાળીયા ગામના વતની હાલ મોરબી (ચભાડીયા કુટુંબ) ના નિવૃત DySP સ્વ. હિંમતસિંહજી અમરસિંહજી જાડેજા ના સ્મરણાર્થે, તેમના જયેષ્ઠ પુત્ર જયવંતસિંહજી જાડેજા દ્વારા આયોજીત અને તેમના પૌત્ર ડૉ. સત્યજીતસિંહજી કૃષ્ણસિંહજી જાડેજા દ્વારા પ્રેરિત, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, રાજપૂત ડૉકટર્સ એસોસિએશન તેમજ મોરબી રાજ પરિવારના સહયોગ થી તારીખ ૨૨...
મોરબી તાલુકાના રંગપર ગામ પાસે આવેલ વાઇડ એન્ગલ સેનેટરી કારખાનામાં ઈલેક્ટ્રીક શોક લાગતા સગીરનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અરવિદભાઇ સંતોષભાઇ સિસોદીયા (ઉ.વ.૧૪) રહે.રંગપર ગામની સીમ, વાઇડએન્ગલ સેનેટરી વેર વાળાને વાઇડએન્ગલ સેનેટરી વેરમા શોક લાગતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવતા ફરજ પરનાતબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ...
હળવદમાં રહેતા યુવકને પંદર વર્ષ પહેલાં મંદિરના વહીવટ બાબતે તેના પીતા તથા તેના કોટુંબીક ભાઈઓ સાથે ઝગડો તકરાર થયેલ જેનો ખાર રાખી યુવકને એક શખ્સે લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ આંબેડકરનગર -૦૧મા રહેતા ઉમેશભાઈ બચુભાઈ...