માળીયા (મી): માળીયા (મી) હરીજન વાસમાં રહેતા હીનાબેન અમુભાઈ પરમાર (ઉ.વ.૨૪) એ પોતાના રહેણાંક મકાને ગત તા.૨૭-૦૪-૨૦૨૩ ના રોજ કોઇપણ સમયે કોઇ કારણોસર ગળાફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
હળવદ થી શીવપુર તરફ જતા રોડ ઉપર સ્કોર્પિયો કાર બાઈકને હડફેટે લેતા બાઈક સવારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેથી આ બનાવમાં આરોપી સ્કોર્પિયો કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા અને મજુરી કામ કરતા કિશન રમેશભાઈ દંતેસરીયા (ઉ.વ.૨૭) એ...