મોરબી: મોરબી નગરપાલિકામાં સત્તાધારી બોડીનું વિસર્જન થઈ ગયા પછી હાલ વહીવટદાર અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર થી નગરપાલિકાનો વહીવટ ચાલી રહ્યો છે જેમાં કામચોર અને ભ્રષ્ટ કર્મચારીઓને ઘી કેળા થઈ ગયા હોય તેમ લોક ફરિયાદનો કોઈ ઉકેલ લાવવામાં નિષ્ફળ ગયા છે.
મોરબીમાં મચ્છુ-૨ ડેમની માઇનોર નંબર-૨ માં બંને બાજુની જમીન સિંચાઇ વિભાગ દ્વારા સંપાદિત કરેલી છે તેને નગરપાલિકા સર્વિસ રોડ કહે છે જેની માલિકી આજે પણ સિંચાઈ વિભાગની છે. ત્યાં રોડ બનાવવાનો નિર્ણય કર્યો અને તેનો તારીખ: ૫-૪-૨૦૨૨ ના રોજ વર્ક ઓર્ડર આપીને એક વર્ષની મુદત આપી છે. આજની તારીખે પણ આ રોડમાં કોઈ પ્રગતિ નથી અને જેમાં ગાંડા બાવળ ઊગી નીકળ્યા છે. આ કેનાલ રોડ ઉપર વિકસિત એરીયો હોય તેના બિનખેતી અને લેઆઉટ પ્લાનમાં સરકારના પરિપત્ર મુજબ નગરપાલિકાના રોડને મળે તે રીતે જે તે સર્વે નંબરમાં દશ મીટર નો રોડ મૂકવો અને તે અંગેનું લેઆઉટ સાથે કરવામાં આવતાં સોગંદનામાંમાં તેનો ફરજિયાત ઉલ્લેખ કરવો તેવું જણાવ્યું છે.
પરંતુ સોગંદનામાં માં રોડ મુકવામાં આવે છે અને સ્થળ ઉપર મૂકવામાં આવતો નથી અને લોકોને આ કેનાલનો રોડ બતાવીને લોકો સાથે સીધી છેતરપિંડી કરવામાં આવી રહી છે. છતાં વહીવટી તંત્ર નાં પેટનું પાણી હતું નથી. આવી જ વાત ઉભરાતી ગટરની છે સનાળા રોડ ઉપર વારંવાર ભૂગર્ભ ગટર ઉભરાય છે. મોરબી શહેરના વરસાદી પાણી નિકાલના વોકળા અને વહેણો બંધ કરી દેવાતા વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે. અને જે બે દિવસ પહેલાં કમોસમી વરસાદનું ઝાપટું પડી ગયું તેનું પાણી ભૂગર્ભમાં ઘુસી ગયું હોય તેમ રોડ ઉપર ભુગર્ભ ગટર નાં ગંદાપાણી વહી રહ્યા છે જેની પણ વહીવટી તંત્ર દરકાર લેતું નથી તે પણ તેટલી જ હકીકત છે. અહીં એ વાત જણાવી દઈએ કે મોરબી શહેરના ફૂટપાથ ઉપર અને ફૂટપટની બાજુના રોડ પર બેફામ લારી-ગલા અને રેકડીઓનું જમીન દબાણ છે જેની વારંવાર ફરિયાદ થાય છે નગરપાલિકા આવા દબાણો દૂર કરાવવામાં નિષ્ફળ ગઈ છે. નકકર કામગીરી કરવામાં આવતી જ નથી તેવું નજરે દેખાઈ રહ્યું છે.
આજે મોરબી મહાનગર પાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને મહેન્દ્રનગર ચોકડી પાસે, ફાયર એન્ડ રેસ્ક્યૂ મોકડ્રીલ નું આયોજન કરવામાં આવેલું હતું.
જેમાં ફાયર કંટ્રોલ ઉપર ૦૫:૪૩ વાગ્યે કોલ આવેલો હતો કે બે કેઝ્યુલિટી ફસાયેલી હતી અને નવરાત્રીના પંડાલની સાઈડમાં આગ લાગેલી હતી. મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી...
ખેતરમાં 'રોટાવિટર મશીન' માં 13 વર્ષ ના બાળક નો પગ ફસાઈ જતા કચડાઈ ગયો હતો. પગના ઘણા સ્નાયુ કચડાઈ ગયા હતા અને ઘણા બધા ફ્રેક્ચર પણ થયા હતા. આવી સ્થિતિમાં ઘણી વાર પગ કાપવાની જરૂર પડતી હોય છે. આયુષ હોસ્પિટલમાં વધુ સારવાર માટે દર્દીને લાવવામાં આવ્યું હતું.
આયુષ હોસ્પિટલમાં પ્લાસ્ટીક...
મોરબી જીલ્લામાં દેશી દારૂનું દુષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેની ઝપેટમાં અનેક પરિવારો બરબાદ થઇ રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના કાલીકાનગર ગામની સીમમાં વનરાવન હનુમાનજી મંદિર પાસે આવેલ પાણીના વોંકળામાંથી દેશી દારૂની ચાર ભઠ્ઠી ઝડપી પાડી કુલ કિં રૂ.૭૬,૪૦૦ નો મુદામાલ તાલુકા પોલીસે કબ્જે કર્યો છે તેમજ...