રાજ્યભરમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લામાં કુલ નોંધાયેલા 18180 માંથી7189 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્રએ ખાસ તકેદારી રાખી હતી તે ઉપરાંત પરીક્ષા આપવા આવનાર ઉમેદવારોને મુશ્કેલી ના પડે તે માટે સંસ્થાઓએ રહેવા સહિતની વ્યવસ્થા કરી હતી તો પોલીસ ટીમોએ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવાની તૈયારી રાખી હતી અને આજે યોજાયેલ પરીક્ષામાં મોરબી જીલ્લામાં કુલ 18,180 માંથી 10,991 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તો 7189 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...