રાજ્યભરમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જીલ્લામાં કુલ નોંધાયેલા 18180 માંથી7189 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્રએ ખાસ તકેદારી રાખી હતી તે ઉપરાંત પરીક્ષા આપવા આવનાર ઉમેદવારોને મુશ્કેલી ના પડે તે માટે સંસ્થાઓએ રહેવા સહિતની વ્યવસ્થા કરી હતી તો પોલીસ ટીમોએ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવાની તૈયારી રાખી હતી અને આજે યોજાયેલ પરીક્ષામાં મોરબી જીલ્લામાં કુલ 18,180 માંથી 10,991 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તો 7189 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી.
મોરબી જીલ્લામાં દેશી દારૂનું દુષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેની ઝપેટમાં અનેક પરિવારો બરબાદ થઇ રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના કાલીકાનગર ગામની સીમમાં વનરાવન હનુમાનજી મંદિર પાસે આવેલ પાણીના વોંકળામાંથી દેશી દારૂની ચાર ભઠ્ઠી ઝડપી પાડી કુલ કિં રૂ.૭૬,૪૦૦ નો મુદામાલ તાલુકા પોલીસે કબ્જે કર્યો છે તેમજ...
હળવદમાં રહેતા યુવકની પત્ની તથા એક શખ્સ વોટ્સએપ મેસેજમા વાતચીત કરતા હોય જેથી યુવકે એ શખ્સને વાતચીત નહી કરવા કહેલ હોય જેથી એ શખ્સનું ઉપરાણું લઈ આરોપીઓ યુવક સહિત ત્રણ વ્યકિતને ધોકા વડે મારમાર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં જી.આઇ.ડી.સી. બાલાજી કારખાના પાછળ...