પાટીદાર સમાજના વધુ બે ઘડિયા લગ્ન યોજાયા આજરોજ મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ મોરબી દ્વારા જુના દેવળીયા પટેલ સમાજ વાડી માં ઘડિયા લગ્ન યોજાય જેમાં રણજીતગઢ નિવાસી રમણિકભાઈ રવજીભાઈ ભોરણીયાની સુપુત્રી ચિ. બીનાબેનના શુભ લગ્ન સુરવદર નિવાસી પ્રવીણભાઈ સુંદરજીભાઈ આદ્રોજા ના સુપુત્ર ચિ. રિકીન કુમાર સાથે યોજાયા સાથે યોજાયા હતા
તો બીજા લગ્ન રમણિકભાઈ રવજીભાઈ ભોરણિયા ના સુપુત્ર ચિ. ડેનિસ કુમાર ના શુભ લગ્ન પ્રવીણભાઈ સુંદરજીભાઈ આદ્રોજા ની સુપુત્રી ચિ કોમલબેન સાથે યોજાયા હતા
આ ઘડિયા લગ્ન માં મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના વિકાશભાઈ થાદોડા, બાબાલુભાઈ આઘારા, ભોરણીયા સાહેબ તથા પાટીદાર સમાજ ના આગેવાનોએ હાજર રહી પ્રભુતા માં પગલાં પાડનાર નવ દંપતિ ને આશીર્વાદ આપીયા હતા
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...