નેશનલ હાઇવે ઓથોરિટી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ ને રજુઆત છતા પરિસ્થિતિ જૈથે
નેશનલ હાઇવે ઓથોરિટી ને કારણે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ બંધુનગર ની બંને તરફ પાણી ના તળાવ ભરાયા
મોરબી ના બંધુનગર ના ગ્રામજનો છેલ્લા 3 વર્ષ થી નેશનલ હાઈ વે રોડ ઓથોરિટી ને રજૂઆત કરે છે અને ગત વર્ષે અનેક અકસ્માત ની વણજાર સર્જાય હતી દર વર્ષે ગ્રામજનો વૈકલ્પિક ધોરણે ડીવાઈડર તોડી અને કામ ચલાઉ રોડ ચાલુ કરે છે પણ આ વર્ષે નેશનલ હાઇવે ઓથોરિટી ના પેટ માં તેલ રેડાયું હોય ગામ ની સામે લોખંડ ની ગ્રિલ ફીટ કરી દીધી છે જેથી ગ્રામજનો ને વાહન કાઢવા માં ખૂબ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે આ પ્રશ્ન અંગે ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા ને પણ ધ્યાન દોર્યું છતાં હજી સુધી આ પ્રશ્ન ની અંત નથી આવ્યો શુ તંત્ર હજી કોઈ મોટા અકસ્માત ની રાહ જોવે છે? જો આ પ્રશ્ન નો યોગ્ય નિરાકરણ નહિ આવે તો ગ્રામજનો ને ફરજિયાત ઉગ્ર બની અને રસ્તા ઉપર ઉતરવું પડશે તેવુ ગ્રામજનોએ જણાવ્યું હતું.
જો તમે મોરબી કે તેની આસપાસ વિલા કે ફાર્મ હાઉસ બનાવવા માગતા હોય અને બેસ્ટ લોકેશન શોધી રહ્યા હોય તો હવે તમારે લોકેશન શોધવાની જરૂર નથી કેમકે મોરબી જીલ્લાના અતી વિકસીત એવા ચાંચાપર ગામ પાસે અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ બાલાજી હોમ્સમા "વિલા" તથા "ફાર્મ હાઉસ" બનાવવાનું સુંદર પ્લોટીંગ આવી...
મોરબી શહેરમાં ભૂંભરની વાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, રોડ-રસ્તાઓ, સફાઈ, ઘરવેરો તેમજ અન્ય પ્રશ્નો બાબતે રહિશો દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી ઝડપથી તમાંમ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરવામા આવી છે.
આવેદનપત્રમા રહિશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોરબી શહેરના ગીતા ઓઇલ...