નેશનલ હાઇવે ઓથોરિટી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ ને રજુઆત છતા પરિસ્થિતિ જૈથે
નેશનલ હાઇવે ઓથોરિટી ને કારણે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ બંધુનગર ની બંને તરફ પાણી ના તળાવ ભરાયા
મોરબી ના બંધુનગર ના ગ્રામજનો છેલ્લા 3 વર્ષ થી નેશનલ હાઈ વે રોડ ઓથોરિટી ને રજૂઆત કરે છે અને ગત વર્ષે અનેક અકસ્માત ની વણજાર સર્જાય હતી દર વર્ષે ગ્રામજનો વૈકલ્પિક ધોરણે ડીવાઈડર તોડી અને કામ ચલાઉ રોડ ચાલુ કરે છે પણ આ વર્ષે નેશનલ હાઇવે ઓથોરિટી ના પેટ માં તેલ રેડાયું હોય ગામ ની સામે લોખંડ ની ગ્રિલ ફીટ કરી દીધી છે જેથી ગ્રામજનો ને વાહન કાઢવા માં ખૂબ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે આ પ્રશ્ન અંગે ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા ને પણ ધ્યાન દોર્યું છતાં હજી સુધી આ પ્રશ્ન ની અંત નથી આવ્યો શુ તંત્ર હજી કોઈ મોટા અકસ્માત ની રાહ જોવે છે? જો આ પ્રશ્ન નો યોગ્ય નિરાકરણ નહિ આવે તો ગ્રામજનો ને ફરજિયાત ઉગ્ર બની અને રસ્તા ઉપર ઉતરવું પડશે તેવુ ગ્રામજનોએ જણાવ્યું હતું.
ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં પાત્રો જેવાકે રાણી લક્ષ્મીબાઈ, રાણી પદ્માવતી, કાશી, અર્જુન, ભગવાન પરશુરામ,ગૃહિણી જેવા અલગ અલગ પાત્રો ભજવ્યા અને જ્ઞાન સાથે ગમ્મત નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમા અતિથિવિશેષ તરીકે જયશ્રીબેન વાઘેલા, આરતીબેન રત્નાણી, અને હેતલબેન જોષી ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ સેન્ટર સ્ટાફ પૂનમબેન, ચાંદનીબેન, ભવ્યભાઈ અને ભગિરથભાઈ...
જો તમને આરટીઓ ચલણ બાબતે APK ફાઈલોનો મેસજ આવે તો ખોલતા પહેલાં ચેતી જજો તમારૂં ખાતુ થઈ શકે ખાલી આવો જ કિસ્સો મોરબીમા પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબી શહેરમાં રહેતા અને વેપાર કરતા યુવકના ફોનમાં આરટીઓ ચલણ APK ફાઈલનો મેસેજ આવતા ઓપન કરતા વેપારીના ખાતામાંથી બે લાખ રૂપિયા ટ્રાન્સફર...
મોરબી: ધાર્મિક ભાવના અને ભક્તિરસથી ભરપૂર એવા ‘શ્રી શિવ મહાપુરાણ શ્રી શિવ ઉર્જા દર્શન શિવ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય કથા પ્રખ્યાત કથાકાર શ્રી રાજેશગીરી કે. ગૌસ્વામી (શ્રી રાજુ બાપુ-ભાડેશ્વર મંદિર, સાવરકુંડલા)ના શ્રીમુખે સંભળાવવામાં આવશે. આ શિવ કથા તા.4 જાન્યુઆરીને રવિવારથી 12 જાન્યુઆરી સોમવાર સુધી યોજાશે....