વ્યસનના નુકશાન અંગે સમજ આપી વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત રહી પરિવારને પણ વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવડાવા અનુરોધ કર્યો.
મોરબી: આજે તા. ૨૨/૦૬/ ૨૦૨૩ ના રોજ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ, મોરબી અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચાંચાપરના સયુંકત ઉપક્રમે રાજપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારની શ્રી ચાંચાપર તાલુકા શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં ધોરણ ૬ થી ૮ ના કુલ ૪૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની અસરો અંગે સમજ આપતા વિવિધ ચિત્રો દોરી ઉપસ્થિતોનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રસંગે ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી થતા નુકશાન અને તેની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે અંગે સમજ આપવામાં આવી હતી. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચાંચાપરના સી.એચ.ઓ. સુરભિબેન ભટ્ટાસણા દ્વારા વિદ્યાર્થીઓને પોતે વ્યસન મુક્ત રહેવા અને પોતાના પરિવારને વ્યસન મુક્ત બનાવવા અંગેનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. શાળાના આચાર્ય પટેલ ભાવિશાબેન દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપીને ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ચાંચાપરનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને સબ સેન્ટર ચાંચાપર દ્વારા પ્રોત્સાહન રૂપે ઇનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ક્વોલીટી મેડીકલ ઓફિસર ડો. હાર્દિક રંગપરીયા, રાજપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ મેડીકલ ઓફિસર ડો.જયેશ રામાવત અને એમ.પી.એચ.એસ, એફ.એચ.ડબલ્યુ, એમ.પી.એચ.ડબલ્યુ, શાળાનો સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...