મોરબી,અત્રેની માધાપરવાડી કન્યા શાળાની સિદ્ધિઓમાં વધુ એક છોગું ઉમેરાયું છે
વાત જાણે એમ છે કે શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી ગુજરાત રાજ્યની તમામ શાળાઓનું મોનીટરીંગ અને મેનેજમેન્ટ થઈ રહ્યું છે,વર્ષ દરમ્યાન પ્રાથમિક શાળાઓમાં લેવાતી એકમ કસોટીઓ સત્રાંત અને વાર્ષિક પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓની સિદ્ધિઓનું મૂલ્યાંકન થતું હોય છે જેમાં ખાસ કરીને ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન ત્રણેય વિષયમાં સત્રાંત અને વાર્ષિક પરીક્ષામાં 80 માર્કથી વધુ ગુણ પ્રાપ્ત કરેલ હોય એવા વિદ્યાર્થીઓની શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદગી કરવામાં આવે છે જેમાં ગત શૈક્ષણિક વર્ષ 2022/23 ની પરીક્ષાના આધારે ધો.7 ની વિદ્યાર્થીનીઓ પૈકી હેન્સી દિલીપભાઈ પરમાર, વંદના હંસરાજભાઈ પરમાર,જાનવી હિતેશભાઈ ભટ્ટ,સ્વાતિ રમેશભાઈ પરમાર,અને ધો.6 ની ગાયત્રી છગનભાઈ ડાભી અને હેમાંશી દિનેશભાઈ સરલા વગેરે વિદ્યાર્થીનીઓનો પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકેના પ્રમાણપત્ર અને બેઈઝ અર્પણ કરી સન્માન કરાયું હતું.આ તકે શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલાએ તમામ વિદ્યાર્થીનીઓને તેમજ ધોરણ 6 થી 8 ના શિક્ષકો જયેશભાઈ અગ્રાવત,ચાંદનીબેન સાંણજા, દયાલજીભાઈ બાવરવા, દિનેશભાઈ સાવરિયા અને નિલમબેન ગોહિલ તમામને ખુબ ખુબ અભિનંદન પાઠવી ધન્યવાદ આપ્યા હતા.અને ચાલુ વર્ષે પણ ખુબજ સરસ રીતે ગુણવત્તા લક્ષી શિક્ષણ કાર્ય કરાવી આવતા વર્ષે વધુ વિદ્યાર્થીઓ પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે પસંદગી પામે એવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું.
મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં બેગલેસ ડે અંતર્ગત બાલમેળો તેમજ લાઈફ સ્કિલ પ્રવૃત્તિઓ કરવામાં આવી
મોરબી: વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે જીવન કૌશલ્યનો જ્ઞાન મળે,વિદ્યાર્થીઓ મનગમતી પ્રવૃત્તિઓ કરી શકે, વિદ્યાર્થીઓ રહેલી સુષુપ્ત શક્તિઓનું પ્રકટીકરણ થાય, વિદ્યાર્થીઓમાં ભણતરનો ભાર ઓછો થાય એ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વ્યવસાયિક તાલીમ વોકેશનલ ટ્રેનિંગને મહત્વ આપવામાં આવ્યું...
મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત સૌ પ્રથમ પ્રાર્થના સભા- બાલસભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ ગીતો, ભજનો, કવિતાઓ, જાણવા જેવુ વગેરે રજૂ કરેલ. ત્યારબાદ લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી. વિદ્યાર્થીઓ ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય તે માટે શાળામાં બાલ સાંસદની રચના...
ટંકારા ખજુરા હોટલના પાર્કિંગમા થયેલ લુંટના ગુન્હાના વધું એક ઈસમને વાંકાનેર બાઉન્ટ્રી ખાતેથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. તેમજ આરોપીના નામદાર કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા દિન ૦૭ ના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે.
ગઇ તા.૨૧ મેં ના રોજ નિલેષભાઈ મનસુખભાઇ ભાલોડી રહે. રાજકોટ તથા તેઓના ડ્રાઈવર બન્ને રાજકોટ...