હળવદ: હળવદ તાલુકાના નવાધનાળા ગામની સીમમાં ચાલતુ ટ્રક માંથી ગેરકાયદેસર લોખંડના સળીયા ચોરવાનું કારસ્તાન પકડી પાડી કુલ કિ.રૂ. ૩૨,૯૫,૧૫૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કર્યો છે.
મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, સ્ટાફના આ અંગેની કાર્યવાહી કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પો હેડ કોન્સ. ચંદુભાઇ કાણોતરા તથા પોલીસ કોન્સ્ટેબલ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ તે આધારે માળીયા મિ.- હળવદ હાઇવેરોડ ઉપર આવેલ ઇનોવીન મેટલ્સ એલ.એલ.પી. કારખાનાની બાજુમા અમુક ઇસમો ગેરકાયદેસર રીતે હાઇવેરોડ ઉપરથી લોખંડના સળીયા ભરી પસાર થતી ટ્રકના ડ્રાઇવરો સાથે સંપર્ક સાધી ટ્રકને ઇનોવીન મેટલ્સ એલ.એલ.પી. કારખાનાની બાજુમાં આવેલ પડતર જગ્યા તથા ગાડા માર્ગે લઇ જઇ ટ્રકમાં લોખંડના સળીયા ભરેલ ભારીઓ ટ્રાન્સપોર્ટર તથા માલ મંગાવનાર પાર્ટીને ધ્યાનમાં ન આવે તે રીતે ચોરી છુપીથી કાઢે છે જે હકિકત આધારે રેઇડ કરતા હકિકત વાળી જગ્યાએથી અલગ અલગ એમ.એમ.ની સાઇઝના લોખંડના સળીયા કુલ વજન ૪૧,૭૩૦ કિ.ગ્રા. જેની કિ.રૂ. ૨૨,૯૫,૧૫૦/- તથા ટેઇલર નંબર GJ-12-BY-2094 કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૨,૯૫,૧૫૦/- નો મુદામાલ ચોરી કે છળકપટ થી મેળવેલ શકમંદ મિલ્કત તરીકે ગણી મુદામાલ કબ્જે કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
મોરબી પાંજરાપોળની વિશાળ જગ્યામાં જોધપર ગામ નજીક સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને વન વિભાગના સહયોગથી "નમો વન" બનાવવામાં આવી રહ્યું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરના રોજ મોરબી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાને વર્ચ્યુલી અર્પણ કરવામાં આવશે.
આગામી 17, સપ્ટેમ્બર 2025 ને બુધવાર ના રોજભારત વર્ષના...
હાલમાં નેપાળ કાઠમંડુ દેશમાં થયેલ તોફાનો અને અરાજકતાની પરિસ્થિતને ધ્યાનમાં લઇ મોરબી જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ દેશના પ્રવાસે હોય તો તે અંગેની જાણ તેઓના સ્વજનો દ્વારા મોરબી જિલ્લા વહિવટી તંત્રએ હેલ્પલાઇન નંબર પર કરવા વિનંતી છે. ઉપરાંત કાઠમંડુ ખાતે રહેલ કે ફસાયેલ કોઈ ભારત કે પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય...
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દયાનંદ સરસ્વતી બી.એડ. કોલેજ, ટંકારા ખાતે ઉચ્ચ શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ દ્વારા મહિલાઓના સશક્તિકરણ વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિધાર્થીનીઓને શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ અને વિવિધ પ્રકારની...