મોરબીની ભૂમિ એટલે દિલેર દતાઓની ભુમિ,મોરબીના લોકો દાન આપવામાં ક્યારેય પાછી પાની નથી કરતા.એમાંય શાળા માટે દાન આપવા માટે લોકો હંમેશા તત્પર હોય છે,બૂટાવાડીના ભુરજીભાઈ પરમાર દર વર્ષે શાળાના બાળકોને પ્રવેશોત્સવ નિમિત્તે પ્રવેશ પાત્ર બાળકોને પોતાના રળેલા રૂપિયામાંથી સ્કૂલબેગ અર્પણ કરતા હોય છે.
ત્યારે આ વર્ષે ભુરજીભાઈએવજેપરવાડી, માધાપરવાડી,બુટાવાડીબોરીયાપાટી,સભારાવાડી,તેજાણીવાડી વગેરે પ્રાથમિક શાળાના પ્રવેશપાત્ર 200 જેટલા બાળકોને સ્કૂલ બેગ અર્પણ કરીને બાલ દેવો ભવ:ની ઉક્તિને સાર્થક કરેલ છે.
ચાલુ વર્ષે બીપરજોય વાવાઝોડાના કારણે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ મોકૂફ રહેતા શાળા કક્ષાએ પ્રવેશોત્સવની ઉજવણી કરી બાલવાટીકા અને પહેલા ધોરણમાં પ્રવેશ પામેલ બાળકોને સ્કૂલબેગ અર્પણ કરવામાં આવેલ અને બંને શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલા અને તુષારભાઈ બોપલીયા તેમજ એસ.એમ.સી.ના અધ્યક્ષ કાળુભાઈ વી.પરમારે દાતા ભુરજીભાઈ પરમારનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
ગણેશ ચતુર્થી ઉજવણી તહેવાર દરમિયાન કોઈ વીજ અકસ્માત ન બને તે માટે વિવિધ તકેદારી રાખવા નાગરિકોને સાવચેત કરવા મોરબી વર્તુળ કચેરી હેઠળની વિવિધ હળવા તથા ભારે દબાણની વીજલાઈનો શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થાય છે. શ્રી ગણેશ મૂર્તિના આવકાર અને વિસર્જન દરમિયાન, વીજ લાઈનની નીચેથી ખુબ જ વધુ ઊંચાઈ...
ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના ધ્રોલીયા ગામના સરપંચ બાબૂભાઇ ગમારાનાઓનો ફોન આવેલ કે, ધ્રોલીયા ગામની સીમમાં આવેલ ગ્રેનેસ્ટા રબરના કારખાનાની સામે દાઉદભાઇની વાડીમા રહેતા ખેતમજુરોની બે નાની દીકરીઓ રીનુ (ઉ.વ.૦૬) તથા સવીતા (ઉ.વ.-૦૭) વાળી બંને સાંજના આશરે છ થી સાત વાગ્યાના સુમારે વાડીએ રમત રમતા...
મોરબીમાં કરોડોની જમીન પચાવી પાડવાના કેસમાં પાંચ શખ્સો તેમજ તપાસ દરમિયાન જે નામ ખુલે તેના વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબીના લખધીરનગર રહેતા ગામના વૃદ્ધના ખાતે ગાંધીનગર જીલ્લાના જાસપુર મુકામે કરોડોની જમીન આવેલ છે જે પચાવી પાડવા માટે આરોપીઓએ સડીયંત્ર રચી વૃદ્ધને નશાની હાલતમાં વિશ્વાસમાં લઈ દસ્તાવેજ કરાવી લઈ અવેજ પેટે કોઈ...