ટંકારા: સરકાર દ્વારા ચાલું વર્ષેને મિલેટ બાજરી વર્ષ તરીકે જાહેર કરવામાં આવી છે. હાલના તબક્કે માણસને બાજરી પચવામાં સરળ અને આરોગ્યપદ એવાં ખોરાક ધટકનો લોકો દ્વારા આહારમાં બહું ઉપયોગ કરે છે. તે માટે સરકાર દ્વારા ” મિલેટ વાનગી સ્પર્ધા”નું આયોજન કરી છેવાડાના ગામડા સુધી જાણકારી મળે તે માટે તાલુકાકક્ષાએ અને જીલ્લા કક્ષા, રાજ્યકક્ષાએ ” મિલેટ વાનગી સ્પર્ધા”નું આયોજન કરેલ છે.
આજે ટંકારા ઘટકના લજાઈ ગામે વર્કર બહેનો, સુપરવાઈઝર ત્રિવેદી રાજશ્રીબેન એમ. તથા પીએચસી આરોગ્ય સ્ટાફ લજાઈ દ્વારા, પ્રાથમિક કુમાર શાળામાં ” આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ૨૦૨૩” ની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ટંકારા તાલુકા પંચાયત સદસ્ય પંકજભાઈ મસોત, દુધ ડેરી સંચાલક સંજયભાઈ મસોત, ગૌતમભાઈ વામજા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ, નિતીનભાઈ માંડવિયા કુમાર શાળા આચાર્ય, યોગેશભાઈ દેત્રોજા, મંત્રી લજાઈ એ હાજરી આપી હતી.
આ સ્પર્ધામાં મિલેટમાથી બનતી વાનગી જેવી કે બાજરી, સરગવો મિક્સ કરી બાજરી ટીકી, બાજરીના લોટના પીઝા, જુવારના લાડવા, બાજરીના મુઠીયા, જુવારના ઢોકળા, બાજરીના વડા, બાજરીની કટલેસ, બાજરીના પુડલા વગેરે જેવી મિલેટમાથી બનતી “૩૦” પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી. સુપરવાઈઝર ત્રિવેદી રાજશ્રીબેન એમ. તથા પધારેલા મહેમાનો, સ્થાનિક લાભાર્થીઓને રોજીંદા આહારમાં મિલેટનો ઉપયોગ કરી તંદુરસ્તી જાળવવા તથા વિવિધ રોગોથી બચવા માટે જંક ફૂડનો ઉપયોગ બંધ કરવા જણાવેલ.
મોરબી જીલ્લાના એક દર્દી જેમની ઉમ્ર 55 વર્ષ છે જેમને બેભાન હાલત માં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી માં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. ઉત્તમ પેઢડીયા સાહેબ કે જે જનરલ ફીઝાશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ છે. તેમને દર્દી ની તપાસ કરતા તેમજ દર્દી ના સગા ને દર્દી ની જાણકારી પુછતા જણાયું...
મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટી ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારના રોજ શ્રી હરસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે ૧૭૦૦ જેટલા અલગ અલગ ફુલ, ફળ અને છોડ નું વિતરણ કરાયું હતું.
જેમાં ૯૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. સવારે ૮:૩૦ થી રોપા લેવા માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા...
અત્યાર સુધીના ૪૬ કેમ્પ માં કુલ ૧૩૩૪૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ -રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ,...