મોરબીની 125 વર્ષ જૂની ધરોહર સમાન સરકારી શાળા – ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલમાં આજરોજ તા. 4 સપ્ટેમ્બરના રોજ શાળા કક્ષાનો વિજ્ઞાનમેળો યોજાઈ ગયો.
વિજ્ઞાન-ગણિત-પર્યાવરણના આ પ્રદર્શનમાં ધો. 9 થી 12 ના 228 વિદ્યાર્થીઓએ કુલ 115 કૃતિઓ રજૂ કરેલ. જેમાં રોબોટિક્સ, ચંદ્રયાન, ફાર્મ સેફ્ટી, ફ્લાઈંગ રોકેટ, 3D હોલોગ્રામ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, મનુષ્યના તંત્રો, ભૂકંપ, જ્વાળામુખી જેવા વર્કિંગ મોડેલ એ આકર્ષણ જમાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ વ્યવસ્થાનો ભાર ઉપાડેલ તથા સંચાલન માટે શાળાના શિક્ષક સુધિરભાઈ ગાંભવા, આઈ. ટી. વીડજા તથા અન્ય શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. પ્રદર્શન દરમિયાન શિક્ષકો મહેશભાઈ ગાંભવા, અમિતભાઇ તન્ના, હિરેનભાઈ નથવાણી તેમજ બિપીનભાઈ દેત્રોજાએ નિર્ણાયક તરીકે રહીને દરેક બાળ વૈજ્ઞાનિકોની મહેનતને બિરદાવી હતી. પ્રદર્શન દરમિયાન આઈ.ટી. વીડજા સાહેબ દ્વારા દરેક બાળ વૈજ્ઞાનિકો અને વ્યવસ્થાપક સમિતિના સભ્યો માટે અલ્પાહારનું આયોજન કરાયું હતું.
આ તકે શાળાના ઇન્ચાર્જ આચાર્ય પડસુંબિયા સાહેબે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ બંને વિભાગમાંથી પ્રથમ ત્રણ-ત્રણ કૃતિઓને પ્રોત્સાહક ઇનામ તથા ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપવાની જાહેરાત કરી હતી.
આ તકે જિલ્લા શિક્ષણાધિકારી રાણીપા સાહેબ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અંબારિયા સાહેબે દરેક કૃતિની મુલાકાત લઈ, બાળ વૈજ્ઞાનિકોના ઉત્સાહ વધારવાની સાથે સાથે શાળાના સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.
મોરબીના લીલાપર રોડ પર સ્મશાન નજીકથી ચોરાવ બાઈક સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ હિરો હોન્ડા મોટરસાયકલ સાથે એક આરોપી મોરબી લીલાપર રોડ સ્મશાન પાસે થી મળી આવતા તેને ચેક કરતા આરોપી પાસે મોટરસાયકલ...
મોરબીના ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં જાહેરમાં જુગાર રમતા એક મહિલા સહિત પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ અત્રેના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી-૨ ત્રાજપર ખારી રામજી મંદિર પાસે શેરીમાં...
મોરબી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા સંસ્કાર ભારતી ગુજરાત સંલગ્ન ડો. હેડગેવાર સ્મારક સમિતિ - મોરબી શાખા દ્વારા લાલબાગ ઉપનગર પરશુરામ વસ્તી બૌદ્ધનગર ( નજરબાગ સામે - ફિલ્ટર હાઉસ) ખાતે તારીખ 12 મેં સોમવારે ભગવાન બુદ્ધ પૂર્ણિમા નાં રોજ 15માં "ગૌતમ બુદ્ધ" બાલ સંસ્કાર કેન્દ્ર નો વિધીવત પ્રારંભ થયો.
આ...