‘ટીબી મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર મોરબી ખાતે મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને ટીબી દર્દીઓને પોષણક્ષમ આહારયુક્ત કીટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
‘ટીબી મુક્ત ભારત’ અભિયાન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા દ્વારા ટીબીના દર્દીઓને પોષણક્ષમ આહારની અગત્યતા વિશે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ અજાણાએ દર્દીઓને મફત નિદાન સારવાર તથા સરકાર દ્વારા અપાતી સહાય અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત તેમના દ્વારા ટીબી અંગે સામાજિક જાગૃતતા ફેલાય તે અંગે પણ યોગ્ય સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમનો ૪૦ જેટલા ટીબીના દર્દીઓએ લાભ લીધો હતો જેમને મહાનુભાવોના હસ્તે પોષણક્ષમ આહારની કીટ વિતરણ કરવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાની હદવિસ્તાર માં સમાવેશ થતો હોય તેવા મિલકત આસામીઓને વર્ષ 2025-26નું વિવિધપ્રકારના ટેક્સનું બાકી ઉઘરાણું હોય તેવા બાકીદારો પાસે થી ટેક્સ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મિલકત વેરા શાખાના કર્મચારીઓ એ વોટ બજવણી અને સીલિંગ કામગીરી હાથ ધરી હતી. જે કામગીરી મોરબી મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા...
મોરબી મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનજમેન્ટ શાખા દ્વારા કલ્સટર-4 આવેલ ભડિયાદ વિસ્તારમાં નાયબકમિશનરએ સાઇટ વિઝિટ કરી આ વિસ્તારની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
જેમાં સો-ઓરડી મેઇન રોડ, ચામુંડા નગર થી ઉમિયા નગર મેઇન રોડ, માળીયા વનાડીયા, સહિતના વિસ્તારોમાં કામ કરતાં સફાઇ કામદારોની નાયબ કમિશનર પ્રોજેક્ટ સંજયકુમાર સોની દ્વારા સાઇટ વિઝિટ કરી આ...
મોરબી શહેરમાં ઉમિયા સર્કલ થી દલવાડી સર્કલ સુધીનો કેનાલ પાસેનો સિમેન્ટ કોંક્રીટ રોડ બનાવીને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવવા જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશન ગુજરાત પ્રદેશના કાંતિલાલ બાબર વાય મુખ્યમંત્રીને રજૂઆત કરી માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરમા ઉમિયા સર્કલ જે શનાળા રોડ પર આવેલ છે. અને...