મોરબી સામખિયાળી નેશનલ હાઇવે પર માળિયા મીયાણા તાલુકાના હરીપર ગામની હદમાં દેવ સોલ્ટ પાસે જાણે અકસ્માતમાં ગોળાઈ વહેલી સવારે બે ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માત બન્યો હતો જેમાં બે લોકોના કમકમાતી ભર્યા મોત નીપજ્યા હતા.
બનાવની જાણ થતા માળિયા 108ની ટીમ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી ગુન્હો નોધવા તપાસ હાથ ધરી હતી
બનાવની મળતી માહિતી મુજબ મોરબી-સામખિયાળી નેશનલ હાઈવે પર આવેલા માળિયા મિયાણાના હરીપર ગામ ની હદમાં દેવ સોલ્ટ પાસે વહેલી સવારે આર જે 9 જીડી ૬૪૬૩ નંબરના ટ્રકે પાછળથી જીજે ૩ બીવી ૯૯૯૮ નંબરની ટ્રકને ઠોકર મારતા ટ્રક ડીવાઈડર સાથે અથડાયો હતો બન્ને ટ્રક વચ્ચેનો ગમખ્વાર અકસ્માત જીવલેણ સાબિત થયો હતો. અને મૂળ એમપીના ધાર જિલ્લાના નરવીરસિંહ ઉ.વ 24 અને એમપીના ધાર જિલ્લાના વતની દિલીપભાઈ નામના યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. એક ટ્રક બનાવની જાણ થતા મોરબી 108ની ટીમ તેમજ માળિયા મિયાણા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેના વિરુધ્દ ગુન્હો નોધિ તપાસ હાથ ધરી છે
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...