મોરબી: મોરબીની સૌપ્રથમ CBSE સ્કુલ OSEM CBSE ખાતે જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સર ની ઉપસ્થિતી માં સાયબર ક્રાઈમ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે હેતુસર સેમિનાર યોજવા માં આવ્યો હતો. જે અંતર્ગત સાયબર સલામતી અને સુરક્ષા, સાયબર ક્રાઈમ તેમજ તેને લગતા કાયદાઓ, હેકિંગ, સ્પામીંગ, એન્ડ્રોઈડ હેકિંગ, સોશિયલ મિડીયા ના ફાયદા-ગેરફાયદા તેમજ પ્રવર્તમાન સમયે લોકો કેવી રીતે સાયબર ક્રાઈમ તેમજ ફ્રોડ નો શિકાર બની રહ્યા છે, તેનાથી બચવા શું તકેદારી રાખવી વગેરે બાબતો વિશે વિદ્યાર્થીઓને તલસ્પર્શી માહિતી આપવા માં આવી હતી.
આ તકે મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી, એ ડિવિઝન પી.એસ.આઈ. એચ.એ.જાડેજા, સી ટીમ ના એસ.આઈ. પુષ્પાબેન સોનારા, સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, પ્રિન્સિપાલ દીપાબેન શર્મા,અંકિતભાઈ માવાણી સહીતના ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી શહેરમાં ઉમિયા સર્કલ થી દલવાડી સર્કલ સુધીનો કેનાલ પાસેનો સિમેન્ટ કોંક્રીટ રોડ બનાવીને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવવા જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશન ગુજરાત પ્રદેશના કાંતિલાલ બાબર વાય મુખ્યમંત્રીને રજૂઆત કરી માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરમા ઉમિયા સર્કલ જે શનાળા રોડ પર આવેલ છે. અને...
મોરબી: મોરબીમાં વરિયા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ દ્વારા આજ રોજ 10 ફેબ્રુઆરીએ ૩૯માં સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવ મોરબીના રિવેરા સિરામિક ખાતે યોજાયા હતા, જ્યાં ૨૪ જેટલા નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્નગ્રંથિથી જોડાઈને પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ સમૂહ લગ્ન પ્રસંગે અનેક રાજકીય અને...
જો રાજકોટ, અમદાવાદ માં મેડીકલ રાત્રિ ના સમયે ચાલુ હોય છે તો મોરબી માં કેમ નહી જેથી મોરબી સિવિલ હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન દવા બારી ૨૪ કલાક ખુલ્લી રાખવા તથા નર્સિંગ સ્ટાફ અને સુરક્ષા વ્યવસ્થા વધારવા બાબતે મોરબીના સામાજિક કાર્યકર મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, ગીરશભાઈ છબીલભાઈ કોટેચા,...