સાર્વજનીક કાલી પુજા કમીટી ગ્રુપ (શ્યામા કાલીપુજા કમીટી મેમ્બર્સ ગ્રુપ) દ્વારા મોરબીના દરબારગઢચોકમાં, કાલીપુજાનું ભવ્ય અને શાનદાર આયોજન કરવામાં આવશે.
મોરબી માં દરબારગઢ ચોકમાં, તા.૧૨/૧૧/૨૦૨૩ રવિવાર થી તા.૧૫/૧૧/૨૦૨૩ બુધવાર ચાર દિવસ સુધી શ્યામા કાલીપુજા કમીટી મેમર્બ્સ દ્રારા છેલ્લા ૨૬ વરસથી કાલીપુજા મહાઉત્સવનું શાનદાર અને ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેના મુખ્ય કમીટી મેમ્બર્સ નિર્મલભાઈ, લાલુદાસભાઈ, દિપકભાઈ, અશોકભાઈ, સદાનંદભાઈ, બાબુભાઈ, સોમનાથભાઈ, દિલુભાઈ, ભોલાભાઈ અને તમામ મેમ્બર્સ દ્વારા કાલીપુજા પંડાલનું જાજરમાન અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. માં કાલીની ભવ્ય મૂર્તિ મિનૌતિબેન દિપકભાઈ હાજરા દ્વારા અર્પણ કરવામાં આવેલ છે.
કાલીપુજા બંગાલમાં જ નહી પરંતુ સંપુર્ણ દેશમાં પણ ધામ ઘુમથી ઉજવવામાં આવે છે ચાર દિવસ ચાલતા આ ઉત્સવમાં સ્થાપના, માં કાલીપુજા અર્ચના,ચંડી પાઠ, પુષ્પાજંલી, મહા આરતી, ખીચડી મહા પ્રસાદ,મયાર ચંડીથ, અન્ન પ્રસાદ,ઢોલ, મહાઆરતી અને વિર્સજન જેવા અનેક કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે. અને તા.૧૫/૧૧/૨૦૨૩ના દિવસે કાલીપુજાનું ભવ્ય વિર્સજન કરવામાં આવશે.
બપોરે આરતીનો સમય : રોજ બપોરે ૧૨ થી ૧ વાગ્યા પછી રાત્રે મહા આરતીનો સમય: રોજ રાત્રે ૯ વાગ્યા પછી રાત્રે મહા આરતી પછી : ખીચડી પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. વિર્સજન યાત્રા : તા.૧૫/૧૧/૨૦૨૩ બુધવાર સાંજે ૫ વાગ્યા પછી
ભારતની મહાન સંસ્કૃતી અને બંગાલની પરમપરાનું સમન્વય કાલીપુજા માં થાય છે કાલીપુજા પંડાલમાં અનુષ્ઠાન, સ્થાપન, પુજન, અર્ચન, મહા આરતી અને સ્તુતિ કરવામાં આવે છે.માં કાલી સત્ય અને ન્યાય ના દેવી છે ન્યાય અને ભકતોની રક્ષા માટે માં કાલીએ રકતબીજ, ધૂમ્રલોચન, શુભ-નિશુભં, સહીત અનેક અસુરોનો સંહાર કરીયો છે અને ધર્મ અને સત્યની સ્થાપના કરી છે જેના અનુસંધાનમાં કાલીપુજાનું આયોજન કરવામાં આવ્યું છે.તો આ શુભ અવસરનો લાભ લેવા મોરબીની તમામ જાહેર જનતાને ભાવભર્યુ અને હદય પૂર્વક આમંત્રણ તમામ કમીટી મેમ્બર્સ અને આયોજક તરફથી પાઠવવામાં આવે છે.
કાલી પુજાને લગતી વધારે માહિતી માટે અને કોઈ પણ પ્રશ્ન માટે મોહિતભાઈ રાવલનો મોબાઈલ નં- ૭૯૯૦૨૧૫૦૯૯ પર સંપર્ક કરી શકો છો.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...