મોરબી: મોરબીમાં ગઈ કાલના દિવાળીના તહેવાર નિમિત્તે અનેક સ્થળોએ ફટકડા ફોડવાના કારણે આગ લાગ હતી. પરંતુ ફાયર વિભાગની ટીમ આગાઉથી સ્ટેન્ડ બાય રાખતા તમાંમ જગ્યાએ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો અને જાન થતા અટકાવી હતી.
મળતી માહિતી મુજબ મોરબી ફાયર વિભાગ દ્વારા મોરબી અને આસપાસના વિસ્તારમાં આગ જનનીના બનાવોમાં સરળતાથી પહોંચી શકાય તે માટે મહારાણા પ્રતાપ સર્કલ સામે કાંઠે નવા બસ સ્ટેન્ડ અને ફાયર સ્ટેશન ખાતે અલગ અલગ ત્રણ ટીમો કુલ સ્ટાફ 15 સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ હતા. જેથી ગઈકાલે દિવાળીના તહેવાર દરમિયાનથી અત્યાર સુધી સવારમાં મોરબી ફાયર કંટ્રોલરૂમમાં અલગ અલગ 21 ફાયર કોલ આવેલા છે. જેમાં કચરાના ઢગલામાં, જાડી – જાખરામાં, ખુલ્લી જગ્યામાં, નીણ કે ઘાસચારામા, મકાન કે દુકાનની છત ઉપર કે બાલ્કનીમાં, એવી વિવિધ જગ્યાએ આગ- જનનીના બનાવો બનેલા જેના પર પાણીનો મારો ચલાવી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો અને સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...