મોરબી : આજે મોરબી સબ જેલ ખાતે તા.૦૬-૧૨- ૨૦૨૩ ને બુધવાર ના રોજ ડો. બાબા સાહેબ આબેડકરના મહા પરીનિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા “We are indians firstly & lastly” આ મહાન શબ્દો છે. ડો. બાબા સાહેબ આંબેડકર કોઈ પણ સમાજ અને ધર્મ પહેલા દેશને અગ્રીમતા આપતા હતા, તેઓએ દેશના બધાજ નાગરિકોને સમાન હક મળે તે માટેના જ પ્રયત્નો કર્યા છે દેશને વિશ્વનું સૌથી મોટું બંધારણ આપ્યું હોય, આ દેશને સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાના હક્કો આપ્યા હોય, સમગ્ર વિશ્વમાં જે વ્યક્તિત્વના પાઠ આજે ભણાવવામાં આવતા હોય, જેની મહાનતા અને નોલેજનો ડંકો વિશ્વના તમામ દેશોમાં વાગે છે.
આજે આ મહાન વ્યક્તિત્વ, ભારતરત્ન, વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિનનિમિત્તે અત્રેની જેલના ઇ.ચા.અધિક્ષક પી.એમ. ચાવડાનાઓ તથા જેલના કર્મચારીઓ સાથે જેલના બંદિવાનો હાજર રહેલા હતા.અને ડો.બાબા સાહેબ આબેડકરને શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડના પાર્કીગ/કારખાના પાસે માલવાહક ટ્રક/ટેલર જેવા હેવી વાહનની ડિઝલ ટાંકી તોડી તેમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાસ કરી ગુન્હામાં ઉપયોગ કરેલ કાર તથા સાધનો મળી કુલ કિ.રૂ.૩,૦૦,૪૫૦/- ના મુદામાલ સાથે બેઈસમોને મોરબી એલ.સી.બી./પેરોલફલો સ્કવોડ ટીમે ઝડપી પાડયા છે.
મોરબી લખધીરપુરરોડ ઉપર હોલીશ વિટ્રીફાઇડ કારખાના પાસે...