વાંકાનેર નગરપાલિકાની દબાણ હટાવો ઝૂંબેશ બની વધુ તેજ : શહેરભરમાં ઠેરઠેર દબાણો પર બુલડોઝર ફર્યા
વાંકાનેર નગરપાલિકા દ્વારા છેલ્લા થોડા દિવસોથી શહેરભરમાં દબાણ હટાવો ઝૂંબેશ શરૂ કરવામાં આવી હોય, જેમાં આજે નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર નગરપાલિકાની ટીમ દ્વારા બુલડોઝર સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, આ સાથે જ આગામી સમયમાં પણ આવી જ રીતે તમામ દબાણોને દુર કરવામાં આવશે તેવું ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છે.
આ સાથે તેમણે વધુમાં શહેરીજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે, શહેરના તમામ નાગરિકો અને વેપારીઓ પણ પાલીકાની આ ઝુંબેશમાં સંપૂર્ણ સહકાર આપી સ્વયં રીતે દબાણો દુર કરે, જેથી શહેરની ટ્રાફિક સમસ્યાનું સાથે મળી નિરાકરણ લાવી શકાય, આ સાથે જ આગામી દિવસોમાં પાલિકા દ્વારા ખુલ્લી જગ્યાઓ પર પાર્કિંગ બનાવવાની પણ તૈયારી દર્શાવી હતી.
વાંકાનેર નગરપાલિકા દ્વારા છેલ્લા થોડા દિવસોથી શહેરભરમાં દબાણ હટાવો ઝૂંબેશ શરૂ કરવામાં આવી હોય, જેમાં આજે નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર નગરપાલિકાની ટીમ દ્વારા બુલડોઝર સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, આ સાથે જ આગામી સમયમાં પણ આવી જ રીતે તમામ દબાણોને દુર કરવામાં આવશે તેવું ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છે.
આ સાથે તેમણે વધુમાં શહેરીજનોને અપીલ કરતા જણાવ્યું હતું કે, શહેરના તમામ નાગરિકો અને વેપારીઓ પણ પાલીકાની આ ઝુંબેશમાં સંપૂર્ણ સહકાર આપી સ્વયં રીતે દબાણો દુર કરે, જેથી શહેરની ટ્રાફિક સમસ્યાનું સાથે મળી નિરાકરણ લાવી શકાય, આ સાથે જ આગામી દિવસોમાં પાલિકા દ્વારા ખુલ્લી જગ્યાઓ પર પાર્કિંગ બનાવવાની પણ તૈયારી દર્શાવી હતી.
હળવદ મામલતદાર કચેરી ખાતેથી અરજી ફોર્મ મેળવી ૫ જૂન સુધીમાં અરજી રજૂ કરવાની રહેશે
હળવદ તાલુકામાં હળવદ શહેરના મધ્યાહન ભોજન કેન્દ્ર નંબર-૨ અને હળવદ તાલુકાના માલણીયાદ, ચિત્રોડી, ખેતરડી, સૂર્યનગર, ચરાડવાના ચૈતન્યનગર ઢવાણાના નવા ઢવાણા તથા ટીકરના માધવનગર મળી ૮ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની જગ્યા ખાલી પડી છે. આ મધ્યાહન ભોજન...