હાલ સમગ્ર ભારત ભરમાં અયોધ્યામાં 22 મી જાન્યુઆરીના રોજ ભવ્ય મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે જેને લઈને સમગ્ર ભારતમાં રહેતા લોકોમાં અનેરો આનંદ છે ત્યારે ટંકારા નું સજનપર ગામ પણ રામમય બન્યું
ટંકારા તાલુકાના સજનપર ગામે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશ નું ભાવભેર સ્વાગત અને પુજન કરવામાં આવ્યું હતું. આ કળશ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ રામભક્તો હાજર રહ્યા હતા નાની બાળાઓ દ્વારા પૂજીત અક્ષત કળશનું સામૈયુ કરવામાં આવ્યું હતું આ સામૈયા દરમિયાન પ્રભુ શ્રી રામ ના નારા થી સમગ્ર સજનપર ગામ ગુંજી ઉઠ્યું હતું તેમજ ભવ્ય રામજીમંદિર બની રહ્યું છે તેનાથી ગામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને 22 જાન્યુઆરી એ દિવાળી જેમ ઉજવવા જણાવેલ હતું.
મોરબી જિલ્લામાં હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત જિલ્લાની શાળાઓમાં તેમજ અન્ય સ્થળોએ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
દર વર્ષે ૨૯ ઓગસ્ટના રોજ દેશભરમાં હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે....
ભારતીય વાયુસેના દ્વારા તા.૨૭/ ૦૮/૨૦૨૫ થી વડોદરા દરજી પૂરા એરફોર્સ સ્ટેશન ખાતે ગુજરાતના યુવાનો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં ગુજરાતના પુરૂષ ઉમેદવારો માટે તા.૨૭ ઑગસ્ટ અને ૨૮ ઑગસ્ટ તેમજ સ્ત્રી ઉમેદવારો માટે તા.૩૦ ઑગસ્ટા અને ૩૧ ઑગસ્ટના રોજ ભરતી પ્રક્રિયા યોજાશે. આ ભરતી માટે...
હળવદ પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નર્મદા કેનાલમાં ડુબી જવાથી મૃત્યુ પામનાર સ્ત્રીની લાશની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
હળવદ પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર તા.૧૬/૦૮/૨૦૨૫ ના ૧૪:૩૫ કલાક પહેલા કોઇપણ સમયે હળવદમાં અમૂલ ફર્નીચર શો રૂમની પાછળ આવેલી નર્મદા કેનાલમાં ડુબી જવાથી સ્ત્રીનું મોત નીપજ્યું...