નવી પેન્શન યોજના રદ કરો રદ કરો નાં નારા સાથે વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ-રાજકોટ દ્વારા વાંકાનેર ખાતે એનપીએસના વિરોધમાં ધરણા પ્રદર્શન
વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે વેસ્ટન રેલ્વે મજદુર સંઘ દ્વારા એનએફઆઈઆરના આહવાનને લઈને તારીખ ૮ થી ૧૧ દરમિયાન એનપીએસ(નવી પેન્શન યોજના) રદ કરવા માટે સમગ્ર રાજકોટ ડિવિઝનમાં મંડળ મંત્રી હિરેનભાઈ મહેતાની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે આજે વાંકાનેર ખાતે એનપીએસને રદ કરવા માટે કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી ઓપીએસ (જુની પેન્સન યોજના) લાગુ કરવા માંગ કરવામાં આવી હતી.
જેમાં એન.પી.એસ. રદ કરો, ઓપીએસ લાગુ કરો.. તેમજ સરકાર વિરોધી સૂત્રોચાર કરી એનપીએસ રદ કરવા માટે માંગ કરવામાં આવી હતી. આ અગાઉ કર્મચારીઓ પાસે ગુપ્ત મતદાન કરાવી મુદ્દાના ઉકેલ માટે હડતાલમાં જવા માટે મતદાન થયેલ, જેમાં 90% કર્મચારીઓએ હડતાલની માંગ સાથે આવનારા દિવસોમાં એનપીએસ રદ કરવામાં નહીં આવે તો એનએફઆઈઆર તેમજ વેસ્ટન રેલવે મજદુર સંઘ દ્વારા ભૂખ હડતાલ તેમજ રેલ રોકો આંદોલન કરવામાં આવશે તેવું મંડળ મંત્રી હિરેન મહેતાએ જણાવ્યું હતું. જેમાં વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે મંડળ મંત્રી હિરેન મહેતાની આગેવાની હેઠળ આર. એચ. જાડેજા, મહેન્દ્રસિંહ, રણવીરસિંહ, ભગીરથસિંહ, લાલાભાઇ, અબ્દુલભાઈ, ઇસ્માઈલભાઈ, મનોજ ઠાકર, મહાવીર સિંહ, જીતુભાઈ, મહેશ ભાટી, ફતેહ મહમદ, જાની ભાઈ, મનિષ સી, રામજી એન, મહેશ એન અને આ ઉપરાંત રાજકોટ થી પધારેલા કેતન ભટ્ટી, શેરાવતભાઈ, વસાવડાભાઈ સહિતના રેલ્વે કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા એ એવી એક શાળા છે જ્યાં વિદ્યાર્થીઓનું હોલેસ્ટિક ડેવલપમેન્ટ થાય, વિદ્યાર્થીનીઓનું ઉત્તમ ઘડતર, ભણતર, ગણતર અને ચારિત્ર્યનું ચણતર થાય એ માટે વર્ષ દરમ્યાન શિક્ષણની સાથે સાથે શાળામાં અનેકવિધ સહ અભ્યાસીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
જેમ કે બાળાઓ માટે રાણી લક્ષ્મીબાઈ સ્વ-રક્ષણની તાલીમ, એડોલેશન પ્રોગ્રામ,...
તાલુકાઓ અને નગરપાલિકાઓ માટે રૂ. ૭૦૦ લાખના ૨૫૭ વિકાસ કામોની નવી દરખાસ્તો મંજૂર
મોરબી જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ ૨૦૨૫-૨૬ માટેની રૂ. ૭૦૦ લાખના ૨૫૭ જેટલા વિવિધ વિકાસ કામોની નવી દરખાસ્તો મંજૂર...