શિક્ષક એટલે શીખવવાની ક્ષણે કલાકાર છે તે શિક્ષક, શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનો સમન્વય, શિક્ષક ક્યારેય નિવૃત્ત થતા નથી,શિક્ષક આજીવન શિક્ષક રહે છે,મોરબીમાં રામજીભાઈ જાકાસણીયા, દેવકરણભાઈ સુરાણી જેવા શિક્ષકો નિવૃત્ત બાદ પણ પ્રવૃતિસીલ રહીને શાળાઓમાં જઈ પોતાનામાં રહેલ શક્તિનો ઉપયોગ કરી રહ્યા છે.એમાં વધુ એક મહાદેવભાઈ રેવાભાઈ રંગપરિયા નામના નિવૃત્ત શિક્ષકનું નામ ઉમેરાયું છે.
જેઓએ ટંકારા તાલુકાના સીઆરસી અને બીઆરસી તરીકે,જુના લીલાપર, નવી પીપળી અને મહેન્દ્રનગર શાળામાં આચાર્ય તરીકે કામગીરી કરી છેલ્લા એક વર્ષથી વય નિવૃત થયા છે,નિવૃત્તિ વખતે એમની પાસે 200 હક રજા હતી છતાં રજા ભોગવ્યા વગર નિવૃત થયા હતા.હજુ પણ શાળા પ્રત્યે બાળકો પ્રત્યે એટલો જ લગાવ હોય અવારનવાર જુદી જુદી શાળાઓમાં જાય છે અને મહાદેવભાઈ સાંઈઠ વર્ષની ઉંમરે પણ અભીનય ગીત દ્વારા, બાળવાર્તા દ્વારા બાળકોને મજા કરાવે છે,આજ રોજ માધાપરવાડી કુમાર અને કન્યા શાળાના બાળકોને મહાદેવભાઈએ અવનવા અભિનય બાળગીતો, બાળવાર્તાઓ અભિનય સાથે હાવ ભાવ સાથે રજૂ કરી ખુબજ મજા કરાવી હતી.
બંને શાળા વતી દિનેશભાઈ કાનગડે મહાદેવભાઈનું પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કરી આભાર પ્રકટ કર્યો હતો.
ભાજપના આગેવાન અને કોંગ્રેસના ચાલું તાલુકા સદસ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા
આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા ના વાંકાનેર વિધાનસભા રૂપાવટી ગામે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી ની આગેવાની હેઠળ એક સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજ અગ્રણી અને ભાજપ ના આગેવાન રણછોડભાઈ થુલેટિયા અને...
હળવદ તાલુકાના નવી જોગડ ગામે મેઇન બજારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોએ હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હળવદ તાલુકાના નવી જોગડ ગામે મેઇન બજારમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ભરતભાઇ માવજીભાઇ મજેઠીયા (ઉ.વ.૪૨) રહે ગામ નવી જોગડ તા. હળવદદ,...
હળવદમા આસ્થા રોડ સ્પીનીંગ મીલ રોડ પર દાવલીયુ તરીકે ઓળખાતી સીમમાં આવેલ પોતાના ખેતરમાં દંપતી કામ કરતા હોય ત્યારે ત્રણ શખ્સો આવી અમારી જમીનમાં કેમ કામ કરો છો અહીથી નીકળી જાવ અમોએ એન.એ. કરાવેલ છે કહી દંપતીને સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં...