શિક્ષક એટલે શીખવવાની ક્ષણે કલાકાર છે તે શિક્ષક, શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનો સમન્વય, શિક્ષક ક્યારેય નિવૃત્ત થતા નથી,શિક્ષક આજીવન શિક્ષક રહે છે,મોરબીમાં રામજીભાઈ જાકાસણીયા, દેવકરણભાઈ સુરાણી જેવા શિક્ષકો નિવૃત્ત બાદ પણ પ્રવૃતિસીલ રહીને શાળાઓમાં જઈ પોતાનામાં રહેલ શક્તિનો ઉપયોગ કરી રહ્યા છે.એમાં વધુ એક મહાદેવભાઈ રેવાભાઈ રંગપરિયા નામના નિવૃત્ત શિક્ષકનું નામ ઉમેરાયું છે.
જેઓએ ટંકારા તાલુકાના સીઆરસી અને બીઆરસી તરીકે,જુના લીલાપર, નવી પીપળી અને મહેન્દ્રનગર શાળામાં આચાર્ય તરીકે કામગીરી કરી છેલ્લા એક વર્ષથી વય નિવૃત થયા છે,નિવૃત્તિ વખતે એમની પાસે 200 હક રજા હતી છતાં રજા ભોગવ્યા વગર નિવૃત થયા હતા.હજુ પણ શાળા પ્રત્યે બાળકો પ્રત્યે એટલો જ લગાવ હોય અવારનવાર જુદી જુદી શાળાઓમાં જાય છે અને મહાદેવભાઈ સાંઈઠ વર્ષની ઉંમરે પણ અભીનય ગીત દ્વારા, બાળવાર્તા દ્વારા બાળકોને મજા કરાવે છે,આજ રોજ માધાપરવાડી કુમાર અને કન્યા શાળાના બાળકોને મહાદેવભાઈએ અવનવા અભિનય બાળગીતો, બાળવાર્તાઓ અભિનય સાથે હાવ ભાવ સાથે રજૂ કરી ખુબજ મજા કરાવી હતી.
બંને શાળા વતી દિનેશભાઈ કાનગડે મહાદેવભાઈનું પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કરી આભાર પ્રકટ કર્યો હતો.
પૌત્રીના બીજા જન્મદીનની પ્રેરક ઉજવણી કરતો ઘુંટુંનો કૈલા પરિવાર.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ ધામ-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મોરબીના ઘુંટું ગામના રહેવાસી રવજીભાઈ રણછોડભાઈ કૈલા દ્વારા તેમની પૌત્રી વ્રિતી ભાવેશભાઈ કૈલાની બીજા જન્મદીવસની ઉજવણી સદાવ્રતમા...
આજના યુગમાં આરોગ્યસેવાના સ્તરને વધુ સુધારવા માટે વિવિધ ધોરણો અને પ્રમાણપત્ર પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. આવી જ એક અગ્રણી સંસ્થા છે – NABH (National Accreditation Board for Hospitals & Healthcare Providers). NABH એ ભારત સરકાર હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે, જે કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) અને ક્વાલિટી કાઉન્સિલ...
મોરબી દલવાડી સર્કલ પાસે આવેલ અમી પેલેસ સામે રોડ ઉપરથી ક્રેટા કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૩૨ કિ.રૂ.૨,૯૪,૯૪૮/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૧૨,૯૯, ૯૪૮/-ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, એક સફેદ કલરની...