શિક્ષક એટલે શીખવવાની ક્ષણે કલાકાર છે તે શિક્ષક, શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનો સમન્વય, શિક્ષક ક્યારેય નિવૃત્ત થતા નથી,શિક્ષક આજીવન શિક્ષક રહે છે,મોરબીમાં રામજીભાઈ જાકાસણીયા, દેવકરણભાઈ સુરાણી જેવા શિક્ષકો નિવૃત્ત બાદ પણ પ્રવૃતિસીલ રહીને શાળાઓમાં જઈ પોતાનામાં રહેલ શક્તિનો ઉપયોગ કરી રહ્યા છે.એમાં વધુ એક મહાદેવભાઈ રેવાભાઈ રંગપરિયા નામના નિવૃત્ત શિક્ષકનું નામ ઉમેરાયું છે.
જેઓએ ટંકારા તાલુકાના સીઆરસી અને બીઆરસી તરીકે,જુના લીલાપર, નવી પીપળી અને મહેન્દ્રનગર શાળામાં આચાર્ય તરીકે કામગીરી કરી છેલ્લા એક વર્ષથી વય નિવૃત થયા છે,નિવૃત્તિ વખતે એમની પાસે 200 હક રજા હતી છતાં રજા ભોગવ્યા વગર નિવૃત થયા હતા.હજુ પણ શાળા પ્રત્યે બાળકો પ્રત્યે એટલો જ લગાવ હોય અવારનવાર જુદી જુદી શાળાઓમાં જાય છે અને મહાદેવભાઈ સાંઈઠ વર્ષની ઉંમરે પણ અભીનય ગીત દ્વારા, બાળવાર્તા દ્વારા બાળકોને મજા કરાવે છે,આજ રોજ માધાપરવાડી કુમાર અને કન્યા શાળાના બાળકોને મહાદેવભાઈએ અવનવા અભિનય બાળગીતો, બાળવાર્તાઓ અભિનય સાથે હાવ ભાવ સાથે રજૂ કરી ખુબજ મજા કરાવી હતી.
બંને શાળા વતી દિનેશભાઈ કાનગડે મહાદેવભાઈનું પુષ્પગુચ્છ અર્પણ કરી અભિવાદન કરી આભાર પ્રકટ કર્યો હતો.
મોરબીના રોડ રસ્તા ની હાલત તો ખરાબ છે ત્યારે મોરબીના નેશનલ હાઈવે ની પણ હાલત ખરાબ છે જેના કારણે લોકોએ આંદોલન કરવા પડી રહ્યા છે. રોડ રસ્તા રોકવા પડી રહ્યા છે.ત્યારે હવે સીરામીક એસોસિએશને પણ નેશનલ હાઇવે ૨૭ ( 8-A) સર્વિસ રોડની ગટર સફાઈ અને રોડ મરામત કરવા રજૂઆત...
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે હળવદમાં વિવિધ સ્થળોએ શેરી નાટક તેમજ કઠાપૂતળી (પપેટ) શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીના હળવદ શહેરમાં ખાતે સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત શહેરીજનોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા બસ સ્ટેશન અને શાળાઓ સહિત...
સખી મંડળની બહેનોએ લોકોને જુના કાપડમાંથી વિનામૂલ્યે થેલી બનાવી આપી
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મોરબી જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ આયોજનના ભાગરૂપે ટંકારા નગરપાલિકા દ્વારા લોકોને પ્લાસ્ટિકની થેલીને બદલે કાપડની થેલી તરફ વાળવાના હેતુથી ‘માય થેલી’ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકોને સ્વચ્છતાનું મૂલ્ય સમજાવવા તેમજ નિયમિત જીવનશૈલીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા...