મોરબી: મોરબીના આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી ભવ્ય અને દિવ્ય શ્રીમદ સત્સંગી જીવન કથા એવમ ઘર સભાનું આયોજન તારીખ 18 (ગુરૂવાર) થી 24 (બુધવાર) એપ્રિલ 2024 સુધી રોજ રાત્રે 8:30 વાગ્યાથી સન સીટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ, રવાપર ઘુનડા રોડ ખાતે કરવામાં આવેલ છે.
જેના વક્તા પદે પૂજ્ય સ.ગુ. સ્વામી શ્રી નિત્યસ્વરૂપદાસજી (સરધાર વાળા) વ્યાસાસને બિરાજી કથા રસપાન કરાવશે તો બહોળી સંખ્યામાં તમામ હરિભક્તોને કથા વાર્તાનો લાભ લેવા પરિવાર તેમજ મિત્ર મંડળ સહિત પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...