મોરબી: મોરબી-જેતપર રોડ, લાર્સન સીરામીકમાંથી અનઅધિકૃત પેટ્રોલીયમ પ્રવાહી લી-૧૬, ૫૦૦ કી.રૂ. ૧૧, ૫૫, ૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૩૧.૬૦,૫૦૦/- ના મુદામાલ મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી પોલીસને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી-જેતપર રોડ બેલા ગામ પાસે આવેલ લાર્સન સીરામીક કારખાના અંદર અમુક ઇસમો ટ્રક ટેંકર નંબર- GJ-39- T-5238 વાળામાંથી બોલેરો પીકઅપ ટેંકર નં-GJ-06- AZ-7597 વાળામાં ગેરકાયદેસર અનઅધિકૃત રીતે ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભળતા ભેળસેળ યુકત જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો કાઢી હેરાફેરી કરે છે. જે બાતમીના આધારે લાર્સન સીરામીકમાં રેઇડ કરતા મહેશભાઇ ઉર્ફે ભગવાનજીભાઇ અરજણભાઇ દેત્રોજા ઉ.વ. ૪૨ રહે. મોરબી ન્યુ ચંદ્રેશ સોસાયટી પંચાસર રોડ મુનનગર ચોક તા.જી.મોરબી મુળ ગામ કુંભારીયા તા.માળીયા મિ. જી.મોરબી વાળાના કબજામાંથી બીલ આધાર પુરાવા વગરનો પેટ્રોલીયમ પ્રવાહી લી-૧૬,૫૦૦ ની કી.રૂ.૧૧,૫૫,૦૦૦/-, ટ્રક ટેંકર નંબર-GJ-39-T-523 ની કી.રૂ.૧૫,૦૦,૦૦૦/-, બોલેરો પીકઅપ ટેંકર નં-GJ-06-AZ- 7597 ની કી.રૂ. ૫,૦૦,000/-, ઇલેકટ્રીક મોટર કી.રૂ. ૫,૦૦૦/-, પ્લાસ્ટીકની પાઇપ નંગ-૦૨ કી.રૂ. ૫૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૩૧,૬૦,૫૦૦/- નો મુદામાલ મળી આવતા સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબજે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
મોરબી પાંજરાપોળની વિશાળ જગ્યામાં જોધપર ગામ નજીક સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને વન વિભાગના સહયોગથી "નમો વન" બનાવવામાં આવી રહ્યું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરના રોજ મોરબી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાને વર્ચ્યુલી અર્પણ કરવામાં આવશે.
આગામી 17, સપ્ટેમ્બર 2025 ને બુધવાર ના રોજભારત વર્ષના...
હાલમાં નેપાળ કાઠમંડુ દેશમાં થયેલ તોફાનો અને અરાજકતાની પરિસ્થિતને ધ્યાનમાં લઇ મોરબી જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ દેશના પ્રવાસે હોય તો તે અંગેની જાણ તેઓના સ્વજનો દ્વારા મોરબી જિલ્લા વહિવટી તંત્રએ હેલ્પલાઇન નંબર પર કરવા વિનંતી છે. ઉપરાંત કાઠમંડુ ખાતે રહેલ કે ફસાયેલ કોઈ ભારત કે પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય...
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દયાનંદ સરસ્વતી બી.એડ. કોલેજ, ટંકારા ખાતે ઉચ્ચ શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ દ્વારા મહિલાઓના સશક્તિકરણ વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિધાર્થીનીઓને શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ અને વિવિધ પ્રકારની...