મોરબી: ૨૦૨૨ ની ચુંટણીમાં વાંકાનેરમાં આમ આદમી પાર્ટીના પૂર્વ ઉમેદવાર અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ વિક્રમ સોરાણી ૨૯ એપ્રીલે ભાજપના અધ્યક્ષ પાટીલની ઉપસ્થિતિમાં કેસરીયા કરી ભાજપમાં જોડાશે.
ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારા તેમજ રામમંદિર, ૩૭૦ કલમ જેવા અનેકો સત્કાર્યોથી પ્રેરાઇ યથાશક્તિ પ્રમાણે યોગદાન આપવાના સંકલ્પ સાથે ૨૦૨૪ લોકસભાની ચુંટણીમાં અખિલ ભારતીય કોળી સમાજના યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ અને શિવાજી સેનાના પ્રમુખ વિક્રમભાઈ સોરાણી વિશાળ સમર્થકોના મહાસાગર સાથે આગામી તારીખ ૨૯/૦૪/૨૦૨૪ ને સોમવારના રોજ સાંજે ૫-૦૦ કલાકે સ્થળ અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ રાજકોટના રામપરા (બેટી) ગામે ખાતે ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રેરણાદાયી ઉપસ્થિતીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ કેસરીયા કરશે.
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...