મોરબીની સિવિલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા કેસ પેપરમાં ‘મોરબી કરશે મહાદાન ‘ તેવી અપીલ કરી રહ્યા છે
મોરબી: આગામી તારીખ 7 મેં ના રોજ મોરબી સહિત રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં લોકસભાનું મતદાન થવાનું છે. ત્યારે મતદાન અંગે લોકોમાં જાગૃતિ આવે અને 100 ટકા મતદાન થાય તે માટે મોરબીની સીવીલ હોસ્પિટલમાં પણ મતદાન જાગૃતિના આ અભિયાનમાં જોડાયા છે.
મોરબીની સીવીલ હોસ્પિટલ પ્રસાશન દ્વારા મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ હાથ ધરી છે. જે અંતર્ગત સીવીલ હોસ્પિટલમાં આવતા તમામ દર્દીનારાયણ માં મતદાન માટે જાગૃતિ આવે તેવા હેતુથી તમામ કેશ પેપર પર રાષ્ટ્રીય હિત માટે સો ટકા મતદાન અંગેનો સંદેશો આપતો સિક્કો ‘મોરબી કરશે મહાદાન’ મારવામાં આવી રહ્યો છે અને દર્દી ઓને મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. આમ મોરબીની સીવીલ હોસ્પિટલ પ્રસાશન 100 ટકા મતદાન થાય તે માટે તંત્રના અભિયાનમાં સાથ સહકાર આપી લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે.
કાંતિલાલ અમૃતિયાનાં સમર્થકો ગાડીઓનાં કાફલા સાથે ગાંધીનગર પોહચે તે પહેલાં જ ભાજપના પ્રવક્તા એ કાંતિલાલ અમૃતિયા નાં રાજીનામા ની વાતો થીં છેડો ફાડ્યો હવે કાંતિલાલ અમૃતિયા ની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ!
મોરબીની પ્રજા જાગૃતિ બની અને રોડ પર આવી કાંતિભાઈ નો અને ભાજપનો વિરોધ કરી રહી છે ત્યારે...
માળીયા મીંયાણા શહેરમાં જુના દલીતવાસ રામાપીરના મંદિર પાછળથી વિદેશી દારૂની ૯૬ બોટલ કિં રૂ. ૬૩,૩૬૦ ના મુદ્દામાલ સાથે આરોપીને માળીયા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા માળીયા મીંયાણા શહેરમાં જુના દલીતવાસ રામાપીરના...
મોરબી શહેરમાં વ્યાજખોરોએ માજા મુક્યા છે. મોરબીમાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામા મોરબી જીલ્લા પોલીસ ક્યાંક નિષ્ફળ નીવડી છે. જેના કારણે વ્યાજખોરો માથુ ઉચકી રહ્યા છે અને મનફાવે તેને ધમકીઓ આપી મારકુટ કરી રહ્યા છે ત્યારે મોરબીમાં રહેતા એક વેપારી યુવકે ચાર પાંચ મહિના પહેલા બાજુમાં આવેલ દુકાવાળા જીગાભાઈ સાથે...