મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલા આસ્થા અને શ્રદ્ધાના પ્રતિકસમાં શ્રી ધકકાવાળી મેલડી મંદિર દ્વારા આયોજિત સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન તા ૧૧/૫ ને શનિવારે સાંજે ૭:૧૫ કલાકે બહુચર પાર્ટી પ્લોટ રોકડીયા હનુમાન મંદિરની બાજુમાં નવલખી રોડ મોરબી ખાતે યોજાશે આ સમૂહલગ્નમાં ૨૧ યુગલો લગ્નગ્રંથી થી જોડાશે સમૂહલગ્નની વિધિ જાણીતા આચાર્ય શાસ્ત્રી હિરેનભાઈ પી પંડ્યા દ્વારા કરાવવામાં આવશે.
આ સમૂહલગ્નનો તમામ ખર્ચ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કરવામાં આવશે શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ની આવક માંથી સમુહલગ્નો, સાર્વજનિક દવાખાનું, વિધાર્થીઓ હને નોટબુક, પુસ્તક વિતરણ સહિત સેવાકીય પ્રવૃત્તિ સેવાભાવી આયોજકો દ્વારા કરવામાં આવેલ છે.
મોરબી: દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝાલા રાજવંશના કુળમાતા શ્રી શક્તિદેવીના ૯૫૦ જન્મોત્સવ નિમિત્તે તલવાર બાજી ટીમ શકત સનાળા દ્વારા ૯૫૦ દિવાની મહાઆરતીનુ વિ . સં ૨૦૮૨ ના કારતક સુદ - ૧૧ ને તા. ૦૨-૧૧- ૨૦૨૫ ને રવિવાર ના રોજ સાંજના ૦૭:૦૦ કલાકે શ્રી શક્તિ ધામ શકત સનાળા...
હળવદ તાલુકાના માણેકવાડા ગામે વાસંગી દાદાના મંદિરમાંથી તસ્કરો અલગ અલગ ચાંદીની ફેણો તથા છતર મળી કુલ કિં રૂ. ૮૦,૦૦૦ જેટલા મત્તાની ચોરી કરી લઇ ગયેલ હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માણેકવાડા ગામે રહેતા સુનીલદાસ માધવદાસ દુધરેજીયા (ઉ.વ.૨૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ...