મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહ દ્વારા મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર લગાવેલા આક્ષેપોને કારણે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર સંસદથી ઘેરાયેલી છે. સોમવારે આને કારણે સંસદના બંને ગૃહોમાં ભારે હંગામો થયો હતો. અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણાના પત્રથી હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. તેમણે આ પત્ર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને લખ્યો છે. આમાં તેમણે આરોપ લગાવ્યો છે કે લોકસભામાં સચિન વજેનો મામલો ઊઠાવવાને લીધે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે તેમને ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે જો કોઈ મહિલા સંસદમાં સલામત નથી, તો તે મહારાષ્ટ્રમાં કેવી રીતે સુરક્ષિત રહેશે. તેણે એવો દાવો પણ કર્યો હતો કે આ પહેલા પણ તેને ફોન ઉપર અનેક વાર ધમકી આપવામાં આવી છે અને તેના પર હુમલો કરવાની વાત પણ કરવામાં આવી છે. જોકે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે આ આરોપોને ખોટા ગણાવ્યા છે. સાવંતે એક ન્યૂઝ એજન્સીને કહ્યું છે કે તેણે રાણાને ધમકી આપી નથી. આ એક મોટું જૂઠાણું છે. હું તેમને ધમકી કેમ આપું? જો તે સમયે તેમની સાથે લોકો હાજર હોત, તો તેઓ કહી શકે કે શું મેં ધમકી આપી હતી કે નહીં ? તેની બોલવાની રીત અને બોડી લેંગ્વેજ બરાબર નહોતી. સાવંતે કહ્યું કે શિવ સૈનિકો મહિલાઓને ધમકાવતા નથી. આ દરમિયાન ભાજપના સાંસદ રમા દેવીએ કહ્યું કે નવનીત રાણાએ આ મુદ્દે તેમની સાથે વાત કરી છે. અરવિંદ સાવંત સાંસદ હોવાને કારણે આવી વાત ન કરવી જોઈએ. રાણાએ ઓમ બિરલાને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો હતો કે સાવંતે તેમને ધમકી આપી હતી કે, ‘હું જોઉં છું કે તું મહારાષ્ટ્રમાં કેવી રીતે ફરે છે અને હું તને પણ જેલમાં નાખીશ.’ રાણાએ કહ્યું કે અરવિંદ સાવંતે મારી સામે જે પ્રકારની ભાષા વાપરી છે તે મારું અને આખા દેશની મહિલાઓનું અપમાન છે. હું ઈચ્છું છું કે તેમની વિરુદ્ધ કડક પોલીસ કાર્યવાહી થાય.
નવનીત રાણાના પત્રથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવી હાલાકી, જાણો અરવિંદ સાવંતે આક્ષેપો અંગે શું કહ્યું?
વધુ જુઓ
પાંચ રાજ્યોમાં ભૂંડી હાર બાદ કોંગ્રેસના આ દિગ્ગજ નેતા ભડક્યા
લગભગ 130 વર્ષના ઈતિહાસમાં કોંગ્રેસનુ કદાચ અત્યાર કરતા વધુ પતન ક્યારેય થયુ નથી.
તેમણે કહ્યું કે હવે ગાંધી પરિવારે કોંગ્રેસની નેતાગીરીનો ભાર છોડીને કોઈ અન્ય નેતાને જવાબદારી સોંપવી જોઈએ.કપિલ સિબ્બલે ગાંધી પરિવાર ઉપર હુમલો કરતાં કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે ‘ઘરની કોંગ્રેસ’ની જગ્યાએ ‘સૌની કોંગ્રેસ’ બને. તેમણે...
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં મોટો કડાકો
1500 પોઇન્ટના કડાકા સાથે સેન્સેક્સ 52,850ની સપાટી પર
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે શેરબજારમાં સ્પષ્ટ ગભરાટ છે. એવું માનવામાં આવે છે કે કોમોડિટીના વધતા ભાવને કારણે મોંઘવારી વધશે, જેની ચિંતા શેરબજારમાં જોવા મળી રહી છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં રેકોર્ડ ઉછાળાને કારણે શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 140...
આવતા અઠવાડિયે દેશમાં વધી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ,ક્રુડ ઓઈલની કિંમત ઓલટાઈમ હાઈ
પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગી શકે છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (રશિયા-યુક્રેન યુદ્ધ)ની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પર પણ પડી છે. ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 110 ડોલરને પાર પહોંચી ગઈ છે. આ છેલ્લા સાત વર્ષમાં સૌથી...