મોરબી તાલુકાની શ્રી નવા મકનસર પ્રાથમિક શાળામાં તેમજ શ્રી એમ.જે.ભાલોડીયા પ્રા.શાળા, નાના દહીંસરા ખાતે સરકારના હર ઘર તિરંગા અભિયાન વિવિધ આયોજનો ગોઠવી અંતર્ગત અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી.
હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા અને દેશ ભક્તિની થીમ પર રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકોએ વિદ્યાર્થિઓને દેશ માટે તેમજ નાગરિકો માટે રાષ્ટ્રધ્વજનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વિધાર્થીઓને રાષ્ટ્રધ્વજ બનાવવાનો પ્રોજેક્ટ આપી દરેક ઘરે પોતાના ઘરે તિરંગો ફરકાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રંગોળી સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધામાં સારી શ્રેષ્ઠ કૃતિઓને બનાવનારને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ચાલુ વર્ષે ભારતમાં આબોહવા અને ઋતુચક્રમાં એક મોટો તથા ચિંતાજનક બદલાવ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જે કાળઝાળ ગરમી એપ્રિલ કે મે મહિનામાં અનુભવાતી હોય છે, તેણે આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં જ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં...
રાજકોટ શહેર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકીય માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. આ ચૂંટણી જંગમાં મજબૂત દાવેદારી નોંધાવવાના હેતુથી આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પોતાની સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે પાર્ટી દ્વારા તાજેતરમાં રાજકોટના તમામ વોર્ડ માટે સઘન ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં...
મારુતિનગર પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્રોજેક્ટ અંતર્ગત શાળા સલામતી અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ, પૂર, ભૂકંપ જેવી આપત્તિઓ સમયે કેવી રીતે સાવચેત રહેવું અને સુરક્ષિત રીતે વર્તવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમના ભાગરૂપે શાળા પરિસરમાં ફાયર ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું, જેમાં...