મોરબીના પંચાસર રોડ પર આવેલા રાજનગર ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી છેલ્લા ૦૭ વર્ષથી કરવામાં આવે છે.
ત્યારે આ વર્ષે પણ તારીખ 26 ઓગસ્ટને સોમવારના રોજ જન્માષ્ટમીએ સવારે ૦૮ કલાકે પંચાસર રોડ પરની જુદી-જુદી ૦૬ સોસાયટીમાં ભવ્ય રથયાત્રા સાથે મટકી ફોડ તથા રાસ ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમજ તા.૨૬ ઓગસ્ટે રાત્રે કૃષ્ણ જન્મોત્સવ તથા રાત્રે ૧૨:૧૫ કલાકે હરસિદ્ધિ હનુમાનજીના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી આ કાર્યક્રમમાં તમાંમ રાજનગર તથ આસપાસના સોસાયટીના તમામ ભાઈઓ બહેનોને હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
નોધ:- દેરેક ભક્તજનોએ પોતાની આરતી ખાલી થાળી તૈયાર કરી લાવવી. આરતી માટે જરૂરી સામાન જેવા કે કોળીયો, દિવેલ, વાટ વગેરે આયોજકો દ્વારા અપવામાં આવશે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી, દિલ્હી (NDMA) ની ટીમે મોરબી કલેક્ટર કચેરી ખાતે મોરબી જિલ્લાની ડિઝાસ્ટર પ્રિપેર્ડનેશની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં પીપીટીના માધ્યમથી જિલ્લામાં ભારે વરસાદથી પૂર, વાવાઝોડા, ઉધોગ ગૃહોમાં અકસ્માતો, ગેસ લીકેજ વગેરે જેવી સંભવિત આપત્તિના સમયમા આફતગ્રસ્તો માટે રાહત બચાવની કામગીરી, તે માટેનું જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષાની કમિટીના...
મોરબી જીલ્લામા પ્રોહીબીશન અંગે રાખવામાં આવેલ કોમ્બીંગ ડ્રાઈવ દરમ્યાન પ્રોહીબીશનના કુલ-૬૧ કેસો શોધી કુલ કિં.રૂ. ૯૬,૪૦૫/- નો મુદ્દામાલ મોરબી જિલ્લા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશમાં પ્રોહીબીશનના વધુને વધુ કેસો શોધી કાઢવા અંગે કોમ્બીંગ ડ્રાઈવ રાખવામાં આવેલ હતી જે કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી...
વિવિધ માર્ગો પર પેચવર્ક, મેટલવર્ક અને સર્ફેસિંગની કામગીરી પ્રગતિ હેઠળ
મોરબી જિલ્લામાં ચોમાસામાં વરસાદને કારણે નુકસાન પામેલા રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ઝડપી, ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના નેતૃત્વ હેઠળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના રસ્તાઓ પર...