મોરબી: કન્યાઓના સર્વાંગી વિકાસ અને દ્રષ્ટિ સંરક્ષણના આશયથી તેમજ પ્રિન્સિપાલ નીતાબેન મેરજાના માર્ગદર્શન તથા તમામ શિક્ષકગણની સહકારથી , Eyefoster.com કંપનીના રવાપર રોડ પર આવેલા ચશ્મા ઘરની ટીમ દ્વારા આવતીકાલે તારીખ ૨૪ જુન ને મંગળવારના રોજ મોરબીની શ્રીમતી ડી.જે. પટેલ કન્યા છાત્રાલય ખાતે નિઃશુલ્ક દ્રષ્ટિ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં વિદ્યાર્થિનીઓના આંખોના નંબર સહિતની વિગતવાર તપાસ કરવામાં આવશે.
કેમ્પના મુખ્ય હેતુઓ:
કન્યાઓના દ્રષ્ટિ સ્વાસ્થ્યમાં સુધારો લાવવો, સ્કૂલ અને કોલેજ લેવલે વાંચન દરમિયાન થતી આંખોની તકલીફ દૂર કરવી, સમયસર દ્રષ્ટિ નિદાન અને જરૂરી માર્ગદર્શન આપવું, સશક્ત અને આરોગ્યદાયક ભવિષ્ય માટે કન્યાઓને દ્રષ્ટિ પરિચર્યા વિશે જાગૃત કરવી. તમેજ આ કેમ્પનો લાભ લેવા તમામ વિદ્યાર્થીનીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. રાજ્યમાં ચોમાસું સક્રિય થતાં ઠેરઠેર વરસાદ પડી રહ્યો છે ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી...
મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક આવેલ રાધે સીરામીકમા પાણીના ટાંકામાં પડી ડૂબી જતાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના નીચી માંડલ ગામની સીમમાં આવેલ રાધે સીરામીકમા રહેતા અને કામ કરતા સુનીલભાઈ ડામોરનો ત્રણ વર્ષનો પુત્ર રિતવીક રાધે સીરામીકમા આવેલ પાણીના ટાંકામાં પડી ડૂબી જતાં...
મોરબીના વિજયનગર શેરી-૦૧ માં રહેતા યુવકને નાનપણથી આંચકીની બીમારી હોય જેનાથી કંટાળી જઈ યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં વિજયનગર શેરી-૦૧ માં રહેતા લક્ષ્મણભાઈ દેવજીભાઈ પરમાર (ઉ.વ.૪૦) નામના યુવકને નાનપણથી આંચકીની બીમારી હોય જેથી પોતાની બીમારીના કારણે જીંદગી છી કંટાળી...