મોરબી: કન્યાઓના સર્વાંગી વિકાસ અને દ્રષ્ટિ સંરક્ષણના આશયથી તેમજ પ્રિન્સિપાલ નીતાબેન મેરજાના માર્ગદર્શન તથા તમામ શિક્ષકગણની સહકારથી , Eyefoster.com કંપનીના રવાપર રોડ પર આવેલા ચશ્મા ઘરની ટીમ દ્વારા આવતીકાલે તારીખ ૨૪ જુન ને મંગળવારના રોજ મોરબીની શ્રીમતી ડી.જે. પટેલ કન્યા છાત્રાલય ખાતે નિઃશુલ્ક દ્રષ્ટિ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં વિદ્યાર્થિનીઓના આંખોના નંબર સહિતની વિગતવાર તપાસ કરવામાં આવશે.
કેમ્પના મુખ્ય હેતુઓ:
કન્યાઓના દ્રષ્ટિ સ્વાસ્થ્યમાં સુધારો લાવવો, સ્કૂલ અને કોલેજ લેવલે વાંચન દરમિયાન થતી આંખોની તકલીફ દૂર કરવી, સમયસર દ્રષ્ટિ નિદાન અને જરૂરી માર્ગદર્શન આપવું, સશક્ત અને આરોગ્યદાયક ભવિષ્ય માટે કન્યાઓને દ્રષ્ટિ પરિચર્યા વિશે જાગૃત કરવી. તમેજ આ કેમ્પનો લાભ લેવા તમામ વિદ્યાર્થીનીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
સારથી સેવા દ્વારા મોરબી ખાતે ગરીબ પરિવારના બાળકો અને પરિવારના સભ્યને મકરસંક્રાંતિના પર્વ નિમિતે મમરાના લડવાનું મોરબીના અલગ અલગ વિસ્તાર જેવા કે પાડાપુલ નીચે, નટરાજ ફાટક પાસે ના વિસ્તાર માં, ભીમસર પાસે અલગ અલગ વિસ્તાર માં તેમજ રાજકોટ ના માધાપર ચોકડી પાસે, રેલનગર, રેલ્વે જક્શન પાસે ના વિવિધ વિસ્તાર...
મોરબી તાલુકાના ગોર ખીજડીયા થી નારણકા થી માનસર સુધીનો રોડનું પેચવર્ક કરવામાં આવેલ જે પેચવર્ક કામ અધુરું મુકેલ હોય જેના કારણે અપડાઉન કરતા લોકોને હાલાકી પડી રહી હોવાથી માનસર અને નારણકા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માર્ગ અને મકાન વિભાગને રોડનું કામ પુરુ કરવા રજૂઆત કરી છે.
ગોર ખીજડીયા, નારણકા અને...
મોરબી મહાસંઘના કાર્યકર્તાઓ દ્વારા બીએલઓની વળતર રજા અને વસ્તી ગણતરી ફરજ માંથી મુક્ત રાખવા રજુઆત
સમગ્ર ગુજરાત રાજ્યની સાથે મોરબી જિલ્લામાં મતદારયાદી સુધારણા અંતર્ગત દિવાળી વેકેશનમાં અને શૈક્ષણિક કાર્યના દિવસો દરમિયાન રવિવાર તેમજ જાહેર રજાના દિવસોમાં SIR ની કામગીરીમાં રોકાયેલા બીએલઓ સહાયક બીએલઓ વગેરેને સરકારના ધારા ધોરણ અને નિયમ મુજબ...