મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા નવયુગ સંકુલ ખાતે પૂર્ણ દિવસના અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં અભ્યાસ વર્ગનું મહત્વ,કાર્યકરોની મનોભૂમિકા સંગઠનની કાર્ય પદ્ધતિ,પ્રચાર-પ્રસાર સંઘ વિચાર,પરિવાર અને આર્થિક સૂચિતાની નવી શિક્ષણનીતિ શિક્ષણના પડકારો,હોદેદારોની જવાબદારી,સંગઠનના કાર્યકર્તાઓની અધિકારીઓ સાથેનો સરકાર સાથેનો વ્યવહાર વગેરે વિષયો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એટલે રાષ્ટ્ર કે હિતમે શિક્ષા.શિક્ષા કે હિતમે શિક્ષક.શિક્ષક કે હિતમે સમાજના ધ્યેય સૂત્ર સાથે શિસ્તબધ રીતે કાર્ય કરતું સંગઠન છે, સંગઠનમાં કાર્યરત કાર્યકરો,મંડળ સંયોજકોએ કેવી રીતે કાર્ય કરવું? એ માટે નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર મોરબી ખાતે આગામી તા.14ને સોમવારના રોજ પૂર્ણ દિવસના અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં અભ્યાસ વર્ગનું મહત્વ,કાર્યકરોની મનોભૂમિકા,સંગઠનની કાર્ય પદ્ધતિ,પ્રચાર-પ્રસાર સંઘ વિચાર,પરિવાર અને આર્થિક સૂચિતાની નવી શિક્ષણનીતિ,શિક્ષણના પડકારો,હોદેદારોની જવાબદારી,સંગઠનના કાર્યકર્તાઓની અધિકારીઓ સાથેનો સરકાર સાથેનો વ્યવહાર વગેરે વિષયો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
આ તમામ વિષયો પર ડો.જયંતીભાઈ ભાડેસિયા,કાર્યવાહક ગુજરાત પ્રાંત બી.એમ.સોલંકી,મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રતુભાઈ ગોળ,રાજ્યમંત્રી મહાસંઘ મુળજીભાઈ ગઢવી,કચ્છ મહાસંઘ મહેશભાઈ મોરી અને હિતેશભાઈ ગોપાણી,સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર પ્રાંત સુનિલભાઈ પરમાર શિશુમંદિર વિપુલભાઈ અધારા,કાર્યવાહક રાજકોટ સંભાગ મહેશભાઈ બોપલીયા,કાર્યવાહક મોરબી જિલ્લો દિનેશભાઈ વડસોલા,અધ્યક્ષ મહાસંઘ-મોરબી વગેરે ઉપરોક્ત વિષયો પર સમગ્ર મોરબી જિલ્લામાંથી સૌથી વધુ કાર્યકર્તાઓને સમગ્ર દિવસ દરમ્યાન માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.એમ કિરણભાઈ કાચરોલા,મંત્રી પ્રદીપભાઈ કુવાડિયા,સી.ઉપાધ્યક્ષ હરદેવભાઈ કાનગડ તથા કિરીટભાઈ દેકાવડીયા ઉપાધ્યક્ષ અને હિતેશભાઈ પાંચોટીયા પ્રચાર મંત્રીની યાદીમાં જણાવવામાં આવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...