આજે સરવડ ગામે ખેડૂત આગેવાનોની મીટીંગ મળી હતી જેમાં પાલભાઈ આંબલીયા, કે ડી બાવરવા, મુકેશભાઈ ગામી સહિતના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

માળિયા તાલુકાના સરવડ ગામમાં આયોજિત ખેડૂત આગેવાનોની મીટીંગમાં ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યના ખેડૂતોના જમીન માપણી, જમીન સંપાદન ઉપરાંત ખાતર, દવા અને બિયારણના ભાવોના મુદે ગાંધીનગર મીટીંગ મળી હતી અને ખેડૂતોના પ્રશ્ને લડત આપવાનો નિર્ધાર કરાયો છે જે અંતર્ગત આજે માળિયા તાલુકાના સરવડ ગામના મીટીંગ મળી હતી જેમાં મોરબી અને માળિયા તાલુકાના ૫૨ ગામના ખેડૂતોના સિંચાઈ પ્રશ્નને લડતમાં સમાવેશ કરવા ખેડૂતોએ અનુરોધ કર્યો છે માળિયા તાલુકાના ૨૯ સહિતના ૫૨ ગામોના સિંચાઈ પ્રશ્ન વિકટ છે જેથી ખેડૂતોની રાજ્યવ્યાપી લડતમાં મોરબી જીલ્લાનો સિંચાઈ પ્રશ્ન પણ તેઓ ઉઠાવશે






