માળીયા : સફળતા શબ્દ એટલો ભારે અને મોટો લાગે છે કે જે સાંભળતા જ અનેકને સફળતા માત્ર સ્વપ્ન જેવું લાગતું હોય છે પરંતુ જીવનમાં હકારાત્મકતા અને દ્રઢ મનોબળ હોય તો આવો ભારેખમ શબ્દ જીવનની ઘટમાળમાં તો સાવ નાનો અને વજનમાં હલકો છે. આજે એવા જ એક ખેડૂતપુત્રી અને સફળ સ્ત્રી વ્યક્તિત્વની ઓળખાણ આપ સૌને તેમજ ખાસ બહેનોને કરાવવી છે.
આપ સૌએ તાજેતરમાં માધવીબેન અરજણભાઈ હુંબલનું નામ સાંભળ્યું હશે જેઓએ ખૂબ નાની ઉંમરમાં ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસ ઈન્સ્પેકટર તરીકે મોટું પદ મેળવીને એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
માળીયા તાલુકાના અંતરિયાળ વેણાસર ગામમાંથી આવતી આ દીકરીએ પોતાના બુલંદ સ્વપ્નને પોતાના સંઘર્ષ સાથે ભેળવીને વર્ષ 2020 માં જામનગરના જોડીયામાં કોન્સ્ટેબલ તરીકે જોડાઈને પોતાની સફળતાની સીડીઓને મનના માંડવે બાંધવાની શરૂઆત કરી.
ક્રાંતિકારી વિચારોને મનોમન વલોવીને સફળતાનું માખણ જાણે ઉભરાતું હોય તે રીતે પોતાની કોન્સ્ટેબલ તરીકેની નોકરીના દિવસોમાં પોતાના સ્વપ્નને સંપૂર્ણ પૂર્ણ કરવા માટે સમયનું સુઆયોજન કરી સફળતાની કેડીને પોતાની જાતે જ કંડારીને વર્ષ 2021માં પોલીસ ઈન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી સમગ્ર ગુજરાતમાં આહીર સમાજની સૌથી નાની વયની પોલીસ અધિકારી તરીકેનું બહુમાન મેળવ્યું છે.
માધવીબેન પ્રતિભા ક્યારેય પણ શાંત ન રહે તે રીતે પોતાના ક્રાંતિકારી વિચારોનું બીજ આવનારી પેઢીને મળે તે હેતુસર દીકરીઓના શિક્ષણ અને સર્જન (વ્યક્તિત્વ) માટે અમૂલ્ય ફાળો આપી રહ્યા છે.
આમ તો દરેકના જીવનમાં સફળતા શ્રેય પોતાના માતા-પિતાને જ જતો હોય છે તે જ રીતે માધવીબેનની સફળતાની કેડી કંડારવા પાછળ એમના માતા-પિતાનો અમૂલ્ય ફાળો રહ્યો છે.
માધવીબેન પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના સમયગાળામાં “તું બઢતા ચલ” વાક્યથી પ્રેરિત થઈને દરેક પરિસ્થિતિમાં લક્ષ્યને મેળવવામાં સફળ રહ્યા છે. અંતે તો એટલું જ કહી શકાય કે દરેક વ્યક્તિના જીવનમાં સ્વપ્નને પ્લસ કરી નકારાત્મકતાની બાદબાકી કરી પોતાના સંઘર્ષની કેડી જો જાતે જ કંડારતા શીખી જઈએ એટલે સફળતાનું બરાબર થઈને પરિણામ તો ચોક્કસ મળે જ છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...