માળીયા : સફળતા શબ્દ એટલો ભારે અને મોટો લાગે છે કે જે સાંભળતા જ અનેકને સફળતા માત્ર સ્વપ્ન જેવું લાગતું હોય છે પરંતુ જીવનમાં હકારાત્મકતા અને દ્રઢ મનોબળ હોય તો આવો ભારેખમ શબ્દ જીવનની ઘટમાળમાં તો સાવ નાનો અને વજનમાં હલકો છે. આજે એવા જ એક ખેડૂતપુત્રી અને સફળ સ્ત્રી વ્યક્તિત્વની ઓળખાણ આપ સૌને તેમજ ખાસ બહેનોને કરાવવી છે.
આપ સૌએ તાજેતરમાં માધવીબેન અરજણભાઈ હુંબલનું નામ સાંભળ્યું હશે જેઓએ ખૂબ નાની ઉંમરમાં ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસ ઈન્સ્પેકટર તરીકે મોટું પદ મેળવીને એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
માળીયા તાલુકાના અંતરિયાળ વેણાસર ગામમાંથી આવતી આ દીકરીએ પોતાના બુલંદ સ્વપ્નને પોતાના સંઘર્ષ સાથે ભેળવીને વર્ષ 2020 માં જામનગરના જોડીયામાં કોન્સ્ટેબલ તરીકે જોડાઈને પોતાની સફળતાની સીડીઓને મનના માંડવે બાંધવાની શરૂઆત કરી.
ક્રાંતિકારી વિચારોને મનોમન વલોવીને સફળતાનું માખણ જાણે ઉભરાતું હોય તે રીતે પોતાની કોન્સ્ટેબલ તરીકેની નોકરીના દિવસોમાં પોતાના સ્વપ્નને સંપૂર્ણ પૂર્ણ કરવા માટે સમયનું સુઆયોજન કરી સફળતાની કેડીને પોતાની જાતે જ કંડારીને વર્ષ 2021માં પોલીસ ઈન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી સમગ્ર ગુજરાતમાં આહીર સમાજની સૌથી નાની વયની પોલીસ અધિકારી તરીકેનું બહુમાન મેળવ્યું છે.
માધવીબેન પ્રતિભા ક્યારેય પણ શાંત ન રહે તે રીતે પોતાના ક્રાંતિકારી વિચારોનું બીજ આવનારી પેઢીને મળે તે હેતુસર દીકરીઓના શિક્ષણ અને સર્જન (વ્યક્તિત્વ) માટે અમૂલ્ય ફાળો આપી રહ્યા છે.
આમ તો દરેકના જીવનમાં સફળતા શ્રેય પોતાના માતા-પિતાને જ જતો હોય છે તે જ રીતે માધવીબેનની સફળતાની કેડી કંડારવા પાછળ એમના માતા-પિતાનો અમૂલ્ય ફાળો રહ્યો છે.
માધવીબેન પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના સમયગાળામાં “તું બઢતા ચલ” વાક્યથી પ્રેરિત થઈને દરેક પરિસ્થિતિમાં લક્ષ્યને મેળવવામાં સફળ રહ્યા છે. અંતે તો એટલું જ કહી શકાય કે દરેક વ્યક્તિના જીવનમાં સ્વપ્નને પ્લસ કરી નકારાત્મકતાની બાદબાકી કરી પોતાના સંઘર્ષની કેડી જો જાતે જ કંડારતા શીખી જઈએ એટલે સફળતાનું બરાબર થઈને પરિણામ તો ચોક્કસ મળે જ છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...