ભુદેવોની નગરી હળવદ ખાતે અક્ષય તૃતીયા ( અખાત્રીજ) ના શુભ દિને સમસ્ત બ્રહ્મસમાજ હળવદ દ્વારા ભગવાન પરશુરામ ની જન્મજયંતિ નિમિતે ભગવાન પરશુરામ ની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
હળવદ ના ભૂદેવો દ્વારા આજ સવાર થી ભગવાન પરશુરામજી ની પુજા કરવા માટે હળવદ પરશુરામ મંદિર ખાતે ભુદેવો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.ભગવાન પરશુરામ ની પુજા કર્યા બાદ પરશુરામ ભગવાનનું પ્રીય શસ્ત્ર ફરસી ની પુજા બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી આજ બપોરે ભગવાન પરશુરામની શોભાયાત્રા ૪:૦૦ કલાકે પરશુરામ મંદિર ખાતે થી નીકળશે અને ત્યાંથી શરણેશ્વર મહાદેવ મંદિર,દરબાર ચોક,લક્ષ્મીનારાયણ ચોક, મેઈન બજાર,થી બ્રાહ્મણની ભોજનશાળા હળવદ સુધી ભગવાન પરશુરામ નગરયાત્રા એ નીકળશે પરશુરામ ભગવાન ની શોભાયાત્રામાં દરેક ભુદેવો બ્રાહ્મણવેશ ( ધોતી કુર્તા) પહેરી ને યાત્રામાં જોડાશે ભુદેવોની આ નગરી ની ખાસીયત છે કે દરેક ભુદેવો હાલ પણ પોતાના બ્રહ્મ તેજ થી વિશ્વભર માં પ્રખ્યાત છે ત્યારે ભુદેવો ની આ પવિત્ર નગરીમાં આજરોજ ભગવાન પરશુરામ ભગવાન ની શોભાયાત્રા નું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગ ને સફળ બનવવા બ્રહ્મ અગ્રણી જીગરભાઈ મહેતા,અજયભાઇ રાવલ,વિજયભાઈ જાની,ધર્મેશભાઈ જોષી,મિહિર ભાઈ રાવલ,દીપકભાઈ જોષી,અમનભાઈ દવે,જીતેન્દ્રભાઈ જાની ( હની )પ્રવીણભાઈ દેરાશ્રી,કેતનભાઈ દવે,પુલકેશભાઈ જોષી, તેમજ પરશુરામ ગ્રુપ ના દરેક સભ્યો ખુબ સુંદર મજાનું આયોજન કર્યું છે
રવી પરીખ હળવદ
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...