ભુદેવોની નગરી હળવદ ખાતે અક્ષય તૃતીયા ( અખાત્રીજ) ના શુભ દિને સમસ્ત બ્રહ્મસમાજ હળવદ દ્વારા ભગવાન પરશુરામ ની જન્મજયંતિ નિમિતે ભગવાન પરશુરામ ની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
હળવદ ના ભૂદેવો દ્વારા આજ સવાર થી ભગવાન પરશુરામજી ની પુજા કરવા માટે હળવદ પરશુરામ મંદિર ખાતે ભુદેવો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.ભગવાન પરશુરામ ની પુજા કર્યા બાદ પરશુરામ ભગવાનનું પ્રીય શસ્ત્ર ફરસી ની પુજા બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી આજ બપોરે ભગવાન પરશુરામની શોભાયાત્રા ૪:૦૦ કલાકે પરશુરામ મંદિર ખાતે થી નીકળશે અને ત્યાંથી શરણેશ્વર મહાદેવ મંદિર,દરબાર ચોક,લક્ષ્મીનારાયણ ચોક, મેઈન બજાર,થી બ્રાહ્મણની ભોજનશાળા હળવદ સુધી ભગવાન પરશુરામ નગરયાત્રા એ નીકળશે પરશુરામ ભગવાન ની શોભાયાત્રામાં દરેક ભુદેવો બ્રાહ્મણવેશ ( ધોતી કુર્તા) પહેરી ને યાત્રામાં જોડાશે ભુદેવોની આ નગરી ની ખાસીયત છે કે દરેક ભુદેવો હાલ પણ પોતાના બ્રહ્મ તેજ થી વિશ્વભર માં પ્રખ્યાત છે ત્યારે ભુદેવો ની આ પવિત્ર નગરીમાં આજરોજ ભગવાન પરશુરામ ભગવાન ની શોભાયાત્રા નું ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગ ને સફળ બનવવા બ્રહ્મ અગ્રણી જીગરભાઈ મહેતા,અજયભાઇ રાવલ,વિજયભાઈ જાની,ધર્મેશભાઈ જોષી,મિહિર ભાઈ રાવલ,દીપકભાઈ જોષી,અમનભાઈ દવે,જીતેન્દ્રભાઈ જાની ( હની )પ્રવીણભાઈ દેરાશ્રી,કેતનભાઈ દવે,પુલકેશભાઈ જોષી, તેમજ પરશુરામ ગ્રુપ ના દરેક સભ્યો ખુબ સુંદર મજાનું આયોજન કર્યું છે
રવી પરીખ હળવદ
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...