દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલએ મોરબીના ઉદ્યોગકારોને ગ્રુપ મીટિંગ માટે આમંત્રિત કર્યા
દિલ્હી સરકારના મુખ્ય મંત્રીશ્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. આગામી 11/૦5/2022 ના રોજ રાજકોટ ખાતે ગુજરાતના ઉદ્યોગકારો ના પ્રાણ પ્રશ્નો જાણવા માટે ઉદ્યોગકારો સાથે મીટિંગ કરવાનાં છે ત્યારે આ મિટિંગમાં મોરબીના ઉદ્યોગકારો ને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. મોરબી સીરામીક એસોસિએશન ના તમામ હોદેદારોને કેજરીવાલ એ આમંત્રિત કર્યા છે.
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંત ગોરીયા દ્વારા મોરબી જિલ્લાના તમામ ઉદ્યોગકારો ને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે જે ઉદ્યોગકારો કેજરીવાલ સાથે ગ્રુપ મિટિંગમાં જોડાવવા માંગતા હોય તે ઉદ્યોગકારનું નામ, ઉદ્યોગનું નામ મોકલી આપવું જેથી આપને તે મુજબનો સમય ફાળવી શકાય…
અરવિંદ કેજરીવાલ સાથે ગ્રુપ બાય ગ્રુપ મીટિંગ રહશે જેથી આપના પ્રશ્નો ની ચર્ચા માટે પૂરતો સમય રહશે. ઉદ્યોગકારો એ પોતાની વિગત પરેશ પારીઆ-આપ નેતા મોરબી 8732918183 નંબર પર મોકલી આપવી
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...