દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલએ મોરબીના ઉદ્યોગકારોને ગ્રુપ મીટિંગ માટે આમંત્રિત કર્યા
દિલ્હી સરકારના મુખ્ય મંત્રીશ્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. આગામી 11/૦5/2022 ના રોજ રાજકોટ ખાતે ગુજરાતના ઉદ્યોગકારો ના પ્રાણ પ્રશ્નો જાણવા માટે ઉદ્યોગકારો સાથે મીટિંગ કરવાનાં છે ત્યારે આ મિટિંગમાં મોરબીના ઉદ્યોગકારો ને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. મોરબી સીરામીક એસોસિએશન ના તમામ હોદેદારોને કેજરીવાલ એ આમંત્રિત કર્યા છે.
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંત ગોરીયા દ્વારા મોરબી જિલ્લાના તમામ ઉદ્યોગકારો ને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે જે ઉદ્યોગકારો કેજરીવાલ સાથે ગ્રુપ મિટિંગમાં જોડાવવા માંગતા હોય તે ઉદ્યોગકારનું નામ, ઉદ્યોગનું નામ મોકલી આપવું જેથી આપને તે મુજબનો સમય ફાળવી શકાય…
અરવિંદ કેજરીવાલ સાથે ગ્રુપ બાય ગ્રુપ મીટિંગ રહશે જેથી આપના પ્રશ્નો ની ચર્ચા માટે પૂરતો સમય રહશે. ઉદ્યોગકારો એ પોતાની વિગત પરેશ પારીઆ-આપ નેતા મોરબી 8732918183 નંબર પર મોકલી આપવી
મોરબી શહેરમાં આવેલ કબીર ટેકરી મેઇન રોડ પર જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી કબીર ટેકરી મેઇન રોડ પર જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર નોટ નંબરીનો જુગાર રમતા...