મોરબી : મોરબી ખાતે સમસ્ત પાટીદાર સમાજ અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં વક્તા તરીકે સતશ્રી (સંસ્કૃતાચાર્ય) બીરાજીને કથાનું રસપાન કરાવશે.
ટંકારાના લજાઈ ગામ નજીક નિર્માણાધીન માનવ મંદિરના લાભાર્થે સમસ્ત પાટીદાર સમાજ મોરબી અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞનું તા. 21 મે થી 31 મે સુધી રામેશ્વર ફાર્મ, રવાપર-ઘુનડા રોડ, મોરબી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાનો સમય રાત્રે 8:30 થી 11:30 છે. આ સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞમાં શિવ વિવાહ, રામ જન્મોત્સવ, શ્રવણ યાત્રા, સીતારામ વિવાહ, કેવટ પ્રસંગ, ભરત મિલાપ, શબરી પ્રસંગ, રામેશ્વર પૂજન અને રામ રાજ્યભિષેક સહિતના પ્રસંગોની ભાવભેર ઉજવણી કરવામાં આવશે.
સમાજના પુત્ર વિહોણા, આર્થિક નબળા, નિરાધાર-અશક્ત વૃદ્ધ વડીલો માટે ટંકારા તાલુકાના લજાઈ ગામે, ભીમનાથ મહાદેવ મંદિર સામે અદ્યતન સુવિધાયુક્ત “માનવ મંદિર” (અનાથાશ્રમ) નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આશરે રૂ.12 કરોડના આ માનવ મંદિર પ્રોજેક્ટમાં હાલ રૂ.10 કરોડનું કામ પૂર્ણ થઈ ગયું છે.
મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બાલસભા, પર્યાવરણ જાગૃતિ માટે રેલી તથા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ.
જેમાં બાલવાટિકા તથા ધો. 1 થી 8 સુધીના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો તેમાં પ્રથમ શાળાનાં શિક્ષક ચિકાણી રમણિકલાલ દ્વારા બાળકોને વિવિધ...
મોરબી જીલ્લાના એક દર્દી જેમની ઉમ્ર 55 વર્ષ છે જેમને બેભાન હાલત માં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી માં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. ઉત્તમ પેઢડીયા સાહેબ કે જે જનરલ ફીઝાશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ છે. તેમને દર્દી ની તપાસ કરતા તેમજ દર્દી ના સગા ને દર્દી ની જાણકારી પુછતા જણાયું...
મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટી ખાતે રાજનગર યુવા ગ્રુપ દ્વારા આજે રવિવારના રોજ શ્રી હરસિધ્ધ હનુમાનજી મંદિર ખાતે ૧૭૦૦ જેટલા અલગ અલગ ફુલ, ફળ અને છોડ નું વિતરણ કરાયું હતું.
જેમાં ૯૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. સવારે ૮:૩૦ થી રોપા લેવા માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા...