સુરતના વકીલ મેહુલભાઈ બોઘરા ઉપર થયેલા હુમલાના વિરોધમાં ગુરૂવારે મોરબીના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા જેની માહિતી આપતા મોરબી બાર એસો.ના પ્રમુખ જીતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, સુરતના વકીલ મેહુલભાઈ બોઘરા ઉપર હીંચકારા હુમલો કરવામાં આવ્યો હતો જેથી મોરબીના વકીલો ગુરૂવારે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા અને વકીલ ઉપર કરવામાં આવેલા હુમલાના બનાવને મોરબી બાર એસો.એ સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે. અને આરોપીઓ સામે કડક કાર્યવાહી તેમજ તટસ્થ તપાસ કરવા ગૃહમંત્રીને અનુરોધ કર્યો છે આટલું જ નહીં આરોપીઓ તરફે કોઈપણ વકીલે નહી રોકાવવા માટે મોરબી બાર એસો. દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આ તકે દિલીપભાઇ આગેચાણીયા, જગદીશભાઇ ઓઝ, જિતેનભાઇ ડી. આગેચાણીયા, રાજુભાઇ પાટડિયા, દીપકભાઈ પરમાર,આતિશભાઈ ચાનીયા, એમ.વાય.ચાનીયા, યુસુફભાઈ ભોરિયા સ અહિતના વકીલો હાજર રહ્યા હતા
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ...
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...