સુરતના વકીલ મેહુલભાઈ બોઘરા ઉપર થયેલા હુમલાના વિરોધમાં ગુરૂવારે મોરબીના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા જેની માહિતી આપતા મોરબી બાર એસો.ના પ્રમુખ જીતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, સુરતના વકીલ મેહુલભાઈ બોઘરા ઉપર હીંચકારા હુમલો કરવામાં આવ્યો હતો જેથી મોરબીના વકીલો ગુરૂવારે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા અને વકીલ ઉપર કરવામાં આવેલા હુમલાના બનાવને મોરબી બાર એસો.એ સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે. અને આરોપીઓ સામે કડક કાર્યવાહી તેમજ તટસ્થ તપાસ કરવા ગૃહમંત્રીને અનુરોધ કર્યો છે આટલું જ નહીં આરોપીઓ તરફે કોઈપણ વકીલે નહી રોકાવવા માટે મોરબી બાર એસો. દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આ તકે દિલીપભાઇ આગેચાણીયા, જગદીશભાઇ ઓઝ, જિતેનભાઇ ડી. આગેચાણીયા, રાજુભાઇ પાટડિયા, દીપકભાઈ પરમાર,આતિશભાઈ ચાનીયા, એમ.વાય.ચાનીયા, યુસુફભાઈ ભોરિયા સ અહિતના વકીલો હાજર રહ્યા હતા
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ...
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...