Monday, May 25, 2026

ભાજપ સંસદીય પાર્ટીની બેઠક સમાપ્ત, વડા પ્રધાન મોદીએ સંબોધન કર્યું, આ મુદ્દે થઇ ચર્ચા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની સંસદીય પાર્ટીની બેઠક બુધવારે સંપન્ન થઈ. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ, નિર્મલા સીતારમણ, ડો.એસ.જયશંકર, પ્રહલાદ પટેલ સહીત પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. સંસદ સંકુલના જીએમસી બાલ્યોગી સભાગૃહમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એક વર્ષ પછી થઇ રહેલી આ બેઠક માટે સંભાવના હતી કે આ બેઠકમાં કોવિડ -19ને ધ્યાનમાં રાખી ભારતનો સંઘર્ષ અને પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓનો મુખ્ય મુદ્દો હોવાની અપેક્ષા રાખવામાં આવી હતી. આ ઉપરાંત દેશમાં કોરોના રસીકરણની પ્રગતિ અને અન્ય દેશોને રસીના સપ્લાયમાં ભારતની ભૂમિકા વિશે પણ મિત્રતા અભિયાન અંતર્ગત ચર્ચા કરવામાં આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી. વડા પ્રધાન સંસદીય પાર્ટીની બેઠકમાં ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન પાર્ટીના રોડમેપ પર પણ ચર્ચા કરશે. કોરોનાને કારણે એક વર્ષ સુધી ભાજપના સંસદીય પક્ષની બેઠક મળી નહોતી. ગયા વર્ષે 17 મી માર્ચે છેલ્લી બેઠક મળી હતી. આ અગાઉ ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠકને વડા પ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે લોકોને સલાહ આપી કે પાર્ટીના સારા કાર્યોને લોકો સુધી પહોંચાડવા અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને નેતાઓ પરના વ્યક્તિગત હુમલાને ટાળવો. આ બેઠકમાં મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img