ટીવીનો લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડોલ ૧૨’ના તાજેતરના એપિસોડમાં કિશોર કુમારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ એપિસોડમાં અમિત કુમાર ખાસ મહેમાન તરીકે પહોચ્યા હતા. જજો અને સ્પર્ધકોએ કિશોર કુમારને 100 ગીતો ગાઈને શ્રદ્ધાંજલિ આપી હતી, પરંતુ જનતા આ એપિસોડને પચાવી શકી ન હતી. કેટલાક યુઝર્સે શોના જજને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. હવે તાજેતરમાં અમિત કુમારે કહ્યું હતું કે તે માત્ર સ્પર્ધકની પ્રશંસા કરવા અને ખાસ મહેમાન બનીને પૈસા માટે શોમાં ગયા હતા. આ એપિસોડમાં તેને પોતે પણ કંઈ ખાસ મજા આવી ન હતી. એક ખાનગી સમાચાર એજન્સી સાથે વાત કરતાં અમિત કુમારે કહ્યું કે, “હું સારી રીતે જાણું છું કે લોકો આ એપિસોડ વિશે સારું અને ખરાબ કહી રહ્યા છે. સાથે જ જણાવ્યુ હતું કે તેમને સ્પર્ધકોની પ્રશંસા કરવાનું કહેવામાં આવ્યું હતું, પછી ભલે તેઓ ગમે તે રીતે ગાતા હોય. આ સાથે જ, તેઓએ આ એપિસોડમાં જોડાવા માટે સમંતી દર્શાવી હતી તે પૈસા માટે દર્શાવી હતી. અમિત કુમારે કહ્યું હતું કે મને જે કહેવામાં આવ્યું હતું તે મેં કર્યું. મને બધાના વખાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. જેઓ જેવુ ગાય છે તેના વખાણ જ કરવાના છે, કારણ કે તે કિશોર કુમારને શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા છે. મને લાગ્યું કે પિતા ખુશ થશે, પરંતુ એવું થયું નહીં. મને જે કરવાનું કહેવામાં આવ્યું હતું તે જ મેં કર્યું. મેં અગાઉથી સ્ક્રિપ્ટ પણ માંગી હતી પરંતુ, મને પૂરી પાડવામાં આવી ન હતી. અમિત કુમારે કહ્યું હતું કે દરેકને પૈસાની જરૂર છે. મારા પિતા પણ પૈસા પાછળ ઘણા કામો કરતા હતા. મેં જે પૈસા માંગ્યા હતા તેમાંથી તેઓએ મને તે આપ્યા, હું શા માટે એને છોડુ, પણ ઠીક છે. મને શો પ્રત્યે સંપૂર્ણ આદર છે, તેમજ જજ અને સ્પર્ધકો પણ સારા છે. આ એક એવિ વસ્તુ હતી જે એક વાર કરવાની હતી અને તે કરી નાખી.
અમિત કુમારે ખોલ્યું સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલનું સત્ય, સ્પર્ધકોની પ્રશંસા કરવા માટે મળ્યા પૈસા !
વધુ જુઓ
સુશાંત સિંહ રાજપૂતે 2019માં અચાનક તમામ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી, જાણો તેની પાછળનું કારણ.
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને એક વર્ષ પૂર્ણ થવામાં માત્ર ૪ દિવસ બાકી છે અને આ કેસની તપાસ હજી ચાલુ છે. સુશાંતે ગયા વર્ષે 14 જૂન, 2020ના રોજ વિશ્વને વિદાય આપી હતી. આટલા સમય પછી પણ તેના ચાહકોને વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ લાગી રહ્યો છે કે તે હવે...
કેટરીના કૈફ અને વિકી કૌશલ રિલેશનશિપમાં છે ? આ વાતની પુષ્ટિ આ અભિનેતાએ આપી.
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલ વચ્ચે ચાલી રહેલ પ્રેમની ચર્ચાઓ છેલ્લા ઘણા મહિનાઓથી થઇ રહી છે, જોકે બંને વચ્ચેના સંબંધોની પુષ્ટિ થઈ નથી. કેટરિના કે વિકી કોઈ પણ તરફથી પણ આની હજુ કંઇ પણ પુષ્ટિ થઈ નથી. પરંતુ હવે એક ફિલ્મ અભિનેતાએ બંને વચ્ચેના સંબંધની પુષ્ટિ કરી...
Netflix પર ઓગસ્ટમાં ‘ધમાકા’ કરી શકે છે કાર્તિક આર્યન, જાણો સંપૂર્ણ વિગતો.
બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન હાલ પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કાર્તિકના હાથમાંથી કેટલાક મોટા પ્રોજેક્ટ છૂટી ગયા છે પરંતુ તેના હાથમાં હજી પણ કેટલીક ફિલ્મો છે જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મોમાંથી એક ફિલ્મ છે રામ માધવાનીની 'ધમાકા'. 'ધમાકા' ઘણા...