આસો મહિનામાં માતાજીના નવલા નોરતાના આવતા હોય છે ત્યાં કચ્છ માં આવેલા આશાપુરા માતાના મઢ ચાલીને જતા પદયાત્રીઓ માટે મોરબી ના ટીંબડી ના ગામના મનીષભાઈ દેવમુરારી ની ટીમ દ્વારા માતાના મઢ ચાલીને જતા પદયાત્રીઓ ની સેવા માં સતત ૧૩ વર્ષથી ખડેપગે સેવા આપી રહ્યા છે
જેમાં તેમની ટીમ દ્વારા હરતા ફરતા સેવા કેમ્પમાં સફરજન, માજા,થમસપ,લીંબુ સરબત,ફરસાણ,તેમજ મેડિકલ સહિતની સેવા પણ પદયાત્રીઓ ને આપી રહ્યા છે જેમાં મનીષભાઈ દેવમુરારી,રમેશભાઈ રૈયાણી,મહેન્દ્રસિંહ જાડેજા,પિયુષ ભાઈ દેવમુરારી,કાનાભા ગઢવી,જયદીપ ચાવડા, ભરતદાસ બાપુ (મહંત નારિચાણીયા હનુમાનજી મંદિર મોટા રામપર) રમેશભાઈ,કિશોર ભાઈ પટેલ, આકાશ પંડ્યા,હિરેન,નિખિલ સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે
મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે અને મકનસર એક્સલ સિરામિક નજીક ચોમાસામાં પાણી ભરાતું હોય છે અંગે ધારાસભ્ય અને કલેકટરને રજૂઆત કરતા રોડ ઓથોરિટી દ્વારા કામચલાઉ માટે રોડ તોડી ગટર કરી દિધી પરંતુ ચોમાસુ પુરૂ થયુ છતા હજુ ગટર બુરી નથી કે બેરીયાર નથી લાગાવેલ જેથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી...
મોરબી મહાનગરપાલિકા દ્વારા MMC@1 ની ઉજવણી સપ્તાહ ચાલી રહ્યું છે, જે અંતર્ગત MMC દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, મહાનગરપાલિકાના અધિકારીઓ- કર્મચારીઓ માટે બેસ્ટ ટાઈપિસ્ટ સ્પર્ધા યોજાઈ હતી.
મોરબી મહાનગરપાલિકા બન્યું તેને એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હોય, જે અન્વયે હાલ MMC@1 સપ્તાહની ઉજવણી ચાલી રહી છે, જેમાં...