આસો મહિનામાં માતાજીના નવલા નોરતાના આવતા હોય છે ત્યાં કચ્છ માં આવેલા આશાપુરા માતાના મઢ ચાલીને જતા પદયાત્રીઓ માટે મોરબી ના ટીંબડી ના ગામના મનીષભાઈ દેવમુરારી ની ટીમ દ્વારા માતાના મઢ ચાલીને જતા પદયાત્રીઓ ની સેવા માં સતત ૧૩ વર્ષથી ખડેપગે સેવા આપી રહ્યા છે
જેમાં તેમની ટીમ દ્વારા હરતા ફરતા સેવા કેમ્પમાં સફરજન, માજા,થમસપ,લીંબુ સરબત,ફરસાણ,તેમજ મેડિકલ સહિતની સેવા પણ પદયાત્રીઓ ને આપી રહ્યા છે જેમાં મનીષભાઈ દેવમુરારી,રમેશભાઈ રૈયાણી,મહેન્દ્રસિંહ જાડેજા,પિયુષ ભાઈ દેવમુરારી,કાનાભા ગઢવી,જયદીપ ચાવડા, ભરતદાસ બાપુ (મહંત નારિચાણીયા હનુમાનજી મંદિર મોટા રામપર) રમેશભાઈ,કિશોર ભાઈ પટેલ, આકાશ પંડ્યા,હિરેન,નિખિલ સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...