મોરબી તાલુકાના બગથળા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત બગથળા સી.આર.સી મુકામે કલા ઉત્સવનું આયોજન કરેલ જેમાં જી.સી.ઈ. આર.ટી.-ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-રાજકોટ દ્વારા દર વર્ષે કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે
જેમાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે એવા હેતુસર ગાયન,વાદન,કાવ્ય લેખન અને ચિત્ર જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે,આ સ્પર્ધામાં બીલીયા પ્રાથમિક શાળાના બાળકો એ તમામ વિભાગોમાં નંબર પ્રાપ્ત કરી સુંદર પ્રદર્શન કરી મેદાન માર્યું છે જેમાં (૧) ચિત્ર સ્પર્ધા .સરવૈયા જતીનભાઈ ભરતભાઈ પ્રથમ નંબરે આવેલ છે (૨) સંગીત ગાયન સ્પર્ધામાં સાણંદિયા ભવ્ય અરવિંદભાઈ પ્રથમ નંબરે આવેલ છે.(૩) સંગીત વાદન સ્પર્ધામાં શેરસીયા જ્ઞાન હસમુખ પ્રથમ નંબરે આવેલ છે.(૩) બાળ કવિ સંમેલનમાં કાવર ઐષી નીતિનભાઈ દ્વિતીય નંબરે આવેલ છે તો આ તમામ બાળકોને શાળા પરિવાર તથા આચાર્ય શ્રી કિરણભાઈ કાચરોલાએ અભિનંદન અને શુભેચ્છા પાઠવેલ છે.
મોરબી જિલ્લાની સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ.માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોના મેગા એસેસમેન્ટ માટે ૦૨ થી ૦૫ ઓગસ્ટ દરમિયાન ઝોન વાઈઝ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં તા.૨૯/૦૭/૨૦૨૫ ના રોજ NEP ની ૫ મી વર્ષ ગાંઠની ઉજવણીના ભાગરૂપે અખિલ ભારતીય શિક્ષા સમાગમ દ્વારા સમગ્ર શિક્ષા હેઠળ...
મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોના ટ્રાન્સપોર્ટેંશન સુવિધા પુરી પાડવા માટે કોમર્શિયલ વાહન ધરાવતા વાહન ચાલકો/માલિકોએ ૦૮ ઓગસ્ટ સુધીમાં સમગ્ર શિક્ષાની કચેરી મોરબી અને દરેક તાલુકાના બીઆરસી ભવનનો સંપર્ક કરવો જેથી બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પુરી પાડી શકાય.
મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.૧ થી ૫ ના બાળકોનું ઘરથી...