મોરબી તાલુકાના બગથળા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત બગથળા સી.આર.સી મુકામે કલા ઉત્સવનું આયોજન કરેલ જેમાં જી.સી.ઈ. આર.ટી.-ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન-રાજકોટ દ્વારા દર વર્ષે કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે
જેમાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે એવા હેતુસર ગાયન,વાદન,કાવ્ય લેખન અને ચિત્ર જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે,આ સ્પર્ધામાં બીલીયા પ્રાથમિક શાળાના બાળકો એ તમામ વિભાગોમાં નંબર પ્રાપ્ત કરી સુંદર પ્રદર્શન કરી મેદાન માર્યું છે જેમાં (૧) ચિત્ર સ્પર્ધા .સરવૈયા જતીનભાઈ ભરતભાઈ પ્રથમ નંબરે આવેલ છે (૨) સંગીત ગાયન સ્પર્ધામાં સાણંદિયા ભવ્ય અરવિંદભાઈ પ્રથમ નંબરે આવેલ છે.(૩) સંગીત વાદન સ્પર્ધામાં શેરસીયા જ્ઞાન હસમુખ પ્રથમ નંબરે આવેલ છે.(૩) બાળ કવિ સંમેલનમાં કાવર ઐષી નીતિનભાઈ દ્વિતીય નંબરે આવેલ છે તો આ તમામ બાળકોને શાળા પરિવાર તથા આચાર્ય શ્રી કિરણભાઈ કાચરોલાએ અભિનંદન અને શુભેચ્છા પાઠવેલ છે.
(1) વર્ષ:- 2005 પછી નિમણુંક થયેલ શિક્ષકો કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા બાબત,
(2) બીએલઓની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો છે તો તમામ કેડરના કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપવી તેમજ બીએલઓના મેડીકલ કારણો હોય,સરકાર માન્ય અને આયુષ્યમાન કાર્ડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં બાયપાસ ઓપરેશન કરાવેલ હોય,બધી જ ફાઈલ મામલતદાર કચેરીમાં રજૂ કરેલ...
હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં ભેજાબાજોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકર્ડ ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનુ બનાવટી રેકર્ડ ઉભું કરી સરકારી જમીન પચાવી પાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લ ચંદ્ર...
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આશરે ૩૦ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારની ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિદાન, સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. હિરલ જાદવાની,...