નેશનલ હાઇવે ઓથોરિટી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ ને રજુઆત છતા પરિસ્થિતિ જૈથે
નેશનલ હાઇવે ઓથોરિટી ને કારણે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ બંધુનગર ની બંને તરફ પાણી ના તળાવ ભરાયા
મોરબી ના બંધુનગર ના ગ્રામજનો છેલ્લા 3 વર્ષ થી નેશનલ હાઈ વે રોડ ઓથોરિટી ને રજૂઆત કરે છે અને ગત વર્ષે અનેક અકસ્માત ની વણજાર સર્જાય હતી દર વર્ષે ગ્રામજનો વૈકલ્પિક ધોરણે ડીવાઈડર તોડી અને કામ ચલાઉ રોડ ચાલુ કરે છે પણ આ વર્ષે નેશનલ હાઇવે ઓથોરિટી ના પેટ માં તેલ રેડાયું હોય ગામ ની સામે લોખંડ ની ગ્રિલ ફીટ કરી દીધી છે જેથી ગ્રામજનો ને વાહન કાઢવા માં ખૂબ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે આ પ્રશ્ન અંગે ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા ને પણ ધ્યાન દોર્યું છતાં હજી સુધી આ પ્રશ્ન ની અંત નથી આવ્યો શુ તંત્ર હજી કોઈ મોટા અકસ્માત ની રાહ જોવે છે? જો આ પ્રશ્ન નો યોગ્ય નિરાકરણ નહિ આવે તો ગ્રામજનો ને ફરજિયાત ઉગ્ર બની અને રસ્તા ઉપર ઉતરવું પડશે તેવુ ગ્રામજનોએ જણાવ્યું હતું.
મોરબી: મોરબીમાં આજે બપોરે પીએમ એન્ટરપ્રાઈઝની ઓફિસમાંથી એક અજાણ્યા વ્યક્તિ ભૂલથી કારની ચાવી સાથે લઈ ગયેલ છે. તો આ વ્યક્તિને મો.નં. 97376 29276 ઉપર સંપર્ક કરવા રોનકભાઈ દેત્રોજા દ્વારા અપીલ કરવામાં આવી છે.
એલ.ઈ. કોલેજ, ઘુંટુ રોડ ખાતે સેમિનારમાં ઉપસ્થિત રહેવા આચાર્ય દ્વારા અનુરોધ કરાયો
એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા નિયુક્ત નોડલ સંસ્થા, એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) મોરબી દ્વારા તા.૨૧/૦૫/૨૦૨૫ અને તારીખ ૨૬/૦૫/૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે એમ બે 'કારકીર્દી માર્ગદર્શન સેમિનાર'નું આયોજન મોરબી ITI કેમ્પસની બાજુમા, મહેન્દ્રનગર પાણીની ટાંકી સામે,...