રાજયમંત્રીબ્રિજેશભાઇ મેરજાના માદરે વતન એવા ચમનપર ગામમાં તેમની પ્રેરણાશ્રી મેઘલાડુનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વર્ષાઋતુનો પ્રારંભ થઈ ચુકયો છે ત્યારે મેહુલો મન મુકીને વરસે તે માટે મેઘલાડુના કાર્યક્રમ કરવામાં આવતા હોય છે. ચમનપર ગામમાં સરપંચની આગેવાની હેઠળ યુવાઓના સહયોગથી મેધાલાડુનું આયોજન કરવામાં આવ્યું હતું. માળીયા તાલુકાના સમરસ આર્દશ ગામ એવા ચમનપરમાં હરિયાળા વૃક્ષો વચ્ચે મોરલાના અસંખ્ય ટહુંકારા ગુંજી રહ્યા છે ત્યારે રાહ જોવાઈ રહી છે કે, મેહુલિયો સર્વત્ર મન મુકીને વરસે !
મોરબી તાલુકાના સોખડા ગામની સીમમાં આવેલ ખેતરમાં વિજળી પડતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા મુકેશભાઈ નરભેરામભાઈ સુરેલા ઉ.વ.૪૫ વાળો સોખડા ગામની સીમમાં આવેલ પોતાના ખેતરમાં કામ કરતા હોય ત્યારે વિજળી પડતાં મુકેશભાઈ નામના આધેડનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુ...
મોરબીના રવાપર રોડ પર આવેલ સરદાર પટેલ સોસાયટીમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને રોકડા રૂપિયા ૨૩,૨૦૦ નાં મુદામાલ સાથે સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રવાપર રોડ પર આવેલ સરદાર પટેલ સોસાયટીમા જાહેરમાં તીનપત્તીનો જુગાર...