ચમોલીના દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારોમાં આર્મી, આઈટીબીપી, એસએસબી અને એસડીઆરએફની ટીમો બચાવ કાર્યમાંતહેનાત છે. ચમોલી પોલીસના જણાવ્યા મુજબ, ટનલમાં ફસાયેલા લોકો માટે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. જેસીબીની મદદથી ટનલની અંદર પહોંચીને રસ્તો ખોલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 15 વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે અને વિવિધ સ્થળોએથી 14 મૃતદેહો મળી આવ્યા છે.સાથે જ, 30 લોકો ટનલમાં ફસાયેલા છે.ગઈકાલે ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર ધસી પડ્યું હતું. જોશીમઠ નજીક ડેમ તૂટી પડતા ભારે તબાહી સર્જાઈ હતી. ડેમ તુટતા અનેક લોકો પાણીમાં તણાયા હતા. ડેમ પાસે કામ કરી રહેલા મજુરો પણ તણાયા હતા. ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટને પણ નુકસાન થયું હતું. ફસાયેલા લોકોને બહાર કાઢવા બચાવ કામગીરી શરૂ કરાઈ.ચમોલીથી હરિદ્વાર સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું. કેન્દ્રીય પ્રધાન રમેશ પોખરીયલ નિશાંકે કહ્યું કે આ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ છે, પરંતુ આઈટીબીપીએ લોકોને એક ટનલમાંથી સફળતાપૂર્વક બચાવ્યા અને હવે તેઓ લગભગ 3 કિલોમીટર લાંબી બીજી ટનલ પર કામ કરી રહ્યા છે. એનડીઆરએફ અને આર્મી પણ આ કામમાં રોકાયેલા છે. મધ્યાહન સુધીમાં આપણે કેટલાક સકારાત્મક પરિણામોની અપેક્ષા રાખી શકીએ છીએ. એસડીઆરએફ અને ઉત્તરાખંડ પોલીસની ટીમે શ્રીનગર ડેમની આસપાસ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ સહિત સૈન્ય જવાનોના અથાગ પ્રયત્નો બાદ આ ટનલના આગળના ભાગને સાફ કરવામાં આવ્યું હતું. જનરેટર અને સર્ચ લાઇટ્સ ઇન્સ્ટોલ કરીને રાતોરાત કામ ચાલુ રાખ્યું હતું. ક્ષેત્રની હોસ્પિટલ ઘટના સ્થળે તબીબી સહાય પૂરી પાડી રહી છે. ભારતીય વાયુસેનાના જણાવ્યા મુજબ, એમઆઈ -17 અને એએલએચ હેલિકોપ્ટર દહેરાદૂનથી જોશીમઠ પહોંચ્યા હતા. આ ઉપરાંત, હવાઈ બચાવ અને રાહત મિશન ફરી શરૂ થયા છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)