Sunday, June 8, 2025

ઢેલડી નગર ને લાગ્યું ગંદકીનું ગ્રહણ !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : ઠેર ઠેર કચરા અને કચરાના ઢગલાએ એક સમયમાં સૌરાષ્ટ્રનાપેરિસ ની ઉપમા મેળવેલ મોરબીને જાણે પોતાનું ઘર બનાવ્યું હોય તેવા દ્રશ્યોથી મોરબી વાસીઓ ખૂબ સારી રીતે પરિચિત છે.

આમ તો મોરબી નગરપાલિકાને A ગ્રેડની નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવતો હોઈ છે. અને પદાધિકારીઓ દ્વારા મોરબીની છબીને ખૂબ સારી રીતે દર્શાવવામાં આવતી હોય છે. પરંતુ સત્યતા શું છે ? એ સૌ કોઈ જાણે છે. હકીકતમાં તો મોરબી પર કચરાનું ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતિ છે.

મોરબી શહેરમાં જ્યારે એન્ટ્રી કરીએ ત્યારે તંત્ર દ્વારા લગાવવામાં આવેલ ખૂબ સારું અને મોરબીની વાહવાહી કરતું એક બોર્ડ જોવા મળે છે જેમાં ખૂબ સારા શબ્દોમાં મોરબીના વખાણ કરી ને ” સ્વચ્છ અને ગ્રીન મોરબીમાં આપનું સ્વાગત છે” એવા જ કઈક શબ્દોમાં સ્વાગત કરવામાં આવતું હોય તેવું બોર્ડ લગાવવામાં આવ્યું છે. ત્યારે શું સાચે મોરબી હરિયાળું અને સુંદર છે ? આવો જાણીએ …..

મોરબીના મુખ્ય માર્ગો શનાળા રોડ હોય કે રવાપર રોડ, પગ મૂકો એટલે ગંદકી જ ગંદકી, મોરબીના શાન સમાન નગર દરવાજા પાસેના વિસ્તારને તો જાણે ડમ્પીગ યાર્ડ બનાવી નાખ્યું હોઈ તેવા દૃશ્યો સર્જાયા છે. મોરબી શહેરના પછાત વિસ્તારમાં તો પગ મૂકવા જેવી સ્થતિ નથી રહી મોરબી શહેર ના રેલવે સ્ટેશન રોડ પાસે આવેલ સૂરજ બાગની બાજુમાં તો કચરાના મસમોટા ઢગલાઓ કરી દેવામાં આવ્યા હોઈ એવા દ્રશ્યો છે. વાવડી રોડ પર તો કચરા ના ઠેર ઠેર મસમોટા ઢગલાનો અંબાર જોવા મળે છે પછી એ બેઠા પુલની વાત હોય કે પછી સરકારી કચેરીઓ બધી જ જગ્યાએ એ કચરો જ કચરો.ત્યારે આ સમસ્યાથી સ્થાનિકો તો ત્રાહિમામ થયા જ છે પણ મોરબીમાં આવતા મુલાકાતીઓ અને મુસાફરી તો મોરબીની આટલી સારી અને સ્વચ્છ છબી લઈને પોતાની સાથે જાઈ છે.

એક તરફ કચરો અને બીજી તરફ ગટર લાયન્સ નગર જેવા વિસ્તારમાં વર્ષના ૩૬૫ દિવસ વરસાદનાં પાણી ની જેમ ગટર ના પાણી ભર્યા રહે છે. પરંતુ સામે કોણ જોવે ?? સત્તાધીશોને તો ફક્ત ને ફક્ત મોટા મોટા કાર્યક્રમો માં જઈને બેસવું , ખુરશીઓ ગરમ કરવું તેમજ પોતાના ગજવા ભરવા માંથી ઉપર આવે તો તેમને મોરબીની સાચી સ્થતિ દેખાઈ ને….

મોરબી ના નરસંગ ટેકરી વિસ્તાર થી નવા બસ સ્ટેશન આવવાના રસ્તાને “સ્વરછતા રોડ” નામ આપવામાં આવ્યું છે… તે રોડ પર પણ કચરા એ પોતાનું સામ્રાજ્ય જમાવી લીધું છે. નગર પાલિકા માં અવાર નવાર અલગ અલગ વિસ્તારો નથી કચરા અને ગટર ના પ્રશ્ન લઈ ને રહીશો આવતા હોય છે પરંતુ આવા કામમાં નગરપાલિકાને કોઈ રસ જ ના હોય તેવી રીતે ખાલી દિલાસો આપીને ઘરે પાછા મોકલી દેવામાં આવે છે. પછી કામ થાઈ છે કે નઈ એ આપડે સૌ જાણીએ છીએ.

મોરબીની સૌરાષ્ટ્રના પેરિસ તરીકેની છબીને સાચા અર્થમાં સાર્થક કરવા માટે જનતાનો આવાજ રૂપી તમાચો જરૂરી બન્યો છે. બાકી કોણ જાણે ક્યારે સતાધીશો મોરબીને સ્વચ્છ અને સુંદર બનાવવા સાચા અર્થમાં મહેનત કરશે તે તો વિચારવા જેવી વાત છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર