ટંકારા: પુસ્તક પરબ ટંકારા દ્વારા ધોરણ 6 થી 12 અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે, તેઓને પોતાના પુસ્તકો ટંકારા પુસ્તક પરબને દાન આપવા અપીલ કરી છે. તમારા બીન ઉપયોગી પુસ્તકો જરૂરીયાત મંદ માટે ખૂબ ઉપયોગી બની રહે છે.
પુસ્તક પરબ ટંકારા દ્વારા એક અનોખા સેવા યજ્ઞનું આયોજન કરેલ છે. જેમાં આપના સંતાનોના, ભાઈઓના, બહેનોના પુસ્તકો કે જે હવે પરીક્ષા પછી બીન ઉપયોગી છે, કે પસ્તીમાં જવાના છે, તેવા પુસ્તકોનું દાન આપી અને એક સુંદર સેવા કાર્યમાં આપનું અનુદાન આપવા અપીલ કરી છે. જેમાં ધોરણ 6 થી 12 અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે, તેઓ પોતાના પુસ્તકો પુસ્તક પરબને દાન આપે જેથી આવતા સત્રમાં જરૂરિયાતમંદ બાળકો તેનો ફરીથી સરસ ઉપયોગ કરી શકે.
તમારા બીન ઉપયોગી પુસ્તકો જરૂરીયાત મંદ માટે ખૂબ ઉપયોગી બને તેવા હેતુ સાથે આપ સર્વને પુસ્તકોનુ દાન આપવા અપીલ કરી છે.
માળિયા તાલુકાના ખાખરેચી ગામે રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતા મકાન માલીક તથા અન્ય ચાર જુગારી સહિત કુલ પાંચ ઇસમોને કુલ રૂ. ૧૦,૨૪૦/- ના મુદ્દામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીયાણા પોલીસને મળેલ બાતમી મળેલ કે કુવરજીભાઈ અમરશીભાઈ પરસુડા રહે.ગામ ખાખરેચી ગામ તા.માળીયા મીં...
સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સંગઠનને મજબૂત બનાવવામાં અને સમાજની એકતા વધુ ગાઢ કરવા એ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, ભાઇઓ, વિવિધ મંડળો તથા સંગઠનોના હોદેદારો એકત્ર થઈને સમાજના સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરાશે. ખાસ કરીને સમાજમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ માટેના ઉપાય, બોડીંગ ખાતે ચાલી રહેલી...