Friday, April 26, 2024

જાણો ટીવીની આ લોકપ્રિય પુત્રવધૂઓ રિયલ લાઈફમાં કેટલી શિક્ષિત છે?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

ટીવી અભિનેત્રીઓ તેમની અભિનય અને તેમની જીવનશૈલીને કારણે બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે. પડદા પરની આ અભિનેત્રીઓની છબી ઓછી શિક્ષિત પુત્રવધૂની હોઈ શકે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ ખૂબ શિક્ષિત છે. સાથે જ, ખૂબ શિક્ષિત હોવા છતાં, આ અભિનેત્રીઓએ પડદા પર એક અલગ ઓળખ બનાવી છે. પડદા પર પોતાના જોરદાર અભિનયથી લોકોનું દિલ જીતનાર આ અભિનેત્રીઓ વાસ્તવિક જીવનમાં ઘણી શિક્ષિત છે. તેમાંથી ઘણી અભિનેત્રીઓ છે, જેમણે ભણતરની સાથે સાથે, વિવિધ ક્ષેત્રમાં પણ નિપુણતા પ્રાપ્ત કરી છે. ચાલો જાણીએ ટીવીની આ પ્રિય પુત્રવધૂઓ વિશે અને તેઓ વાસ્તવિક જીવનમાં કેટલી શિક્ષિત છે.

હિના ખાન

હિના ખાનને લોકોએ પડદા પર સંસ્કારી બહુ અને વિલન બંને તરીકે પસંદ કરી છે. તેણે પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત યે રિશ્તા ક્યા કહલાતા હૈ ની સાથે કરી, જેમાં તેમણે લગભગ 8 વર્ષ સુધી કામ કર્યું. આ પછી બિગ બોસ, ખતરો કે ખિલાડી જેવા ઘણા રિયાલિટી શોમાં જોવા મળી હતી. હિના ખાન વાસ્તવિક જીવનમાં ખૂબ શિક્ષિત છે. 2009 માં, તેણે ગુરુગ્રામની મેનેજમેન્ટ કોલેજમાંથી એમબીએ કર્યું હતું.

દિવ્યાંકા ત્રિપાઠી

ટીવીની આદર્શ પુત્રવધૂ દિવ્યાંકા ત્રિપાઠી તેની સુંદર સ્મિત અને અદભૂત અભિનય માટે જાણીતી છે. દિવ્યાંકા માત્ર હાઈલી ક્વૉલિફાઇડ જ નથી, પરંતુ તેણે પર્વતારોહણ અને ભોપાલ રાઇફલ એકેડેમીથી રાઇફલ શૂટિંગનો અભ્યાસક્રમ પણ કર્યો છે. ભણતરની વાત કરીએ તો ‘યે હૈ મોહબ્બતે’ ની ઇશિતાએ તેનું ઉચ્ચ શિક્ષણ ભોપાલની નૂતન કોલેજમાંથી લીધું છે. જણાવી દઈએ કે દિવ્યાંકા પણ મિસ ભોપાલ રહી ચૂકી છે, ત્યારબાદ તેણે અભિનય તરફ વળવાનું નક્કી કર્યું.

નિયા શર્મા

ટીવીની હોટ અને મોસ્ટ સ્ટાઇલિશ એક્ટ્રેસ નિયા શર્મા તેના હોટ ફોટોઝને કારણે રીયલ લાઇફમાં ખૂબ જ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ વાસ્તવિક જીવનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમણે દિલ્હીની જગન્નાથ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સાયન્સથી માસ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તે મુંબઇ રહેવા આવી ગઈ હતી.

જેનિફર વિગેન્ટ

ટીવીની ટોચની અભિનેત્રીઓમાંની એક જેનિફર વિગેન્ટએ એકથી વધુ પાત્રો ભજવ્યાં છે. તે દરેક ભૂમિકામાં લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી છે, પછી ભલે તે ‘બેહદ’ ની માયા હોય કે ‘દિલ મિલ ગયે’ની રિદ્ધિમા ગુપ્તા. 12 વર્ષની ઉંમરથી અભિનયની દુનિયામાં પ્રવેશ કરનાર જેનિફરએ મુંબઈની કેજી સુમૈયા કોલેજમાંથી બી.કોમ (B.Com) કર્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર