Friday, April 26, 2024

જાણો કે પીરિયડ દરમિયાન મહિલાઓએ એક્સરસાઇઝ કરવી જોઇએ કે નહીં ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

સ્ત્રીઓ માટે, પીરિયડના પ્રથમ ત્રણ દિવસ ખૂબ જ મુશ્કેલી ભર્યા હોય છે. પીરિયડ દરમિયાન મહિલાઓને થાક, પેટમાં દુખાવો, મૂડ સ્વિંગ જેવી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ દિવસોમાં, શરીરમાં ઘણી નબળાઇ રહે છે, અમુક સમયે પથારીમાંથી ઉભા થવું મુશ્કેલ થઈ જાય છે. આ દિવસોમાં, મહિલાઓના મનમાં ફક્ત એક જ સવાલ રહે છે, કે તે સમયગાળા દરમિયાન કસરત કરવી તે યોગ્ય રહેશે કે નહીં ? ફિટનેસની બાબતમાં કાળજી લેતી લેડિઝ તેમની ફિટનેસ વિશે વધુ ચિંતિત રહે છે, તેઓ એક દિવસ માટે પણ વર્કઆઉટ છોડવાનું કરવાનું પસંદ કરતી નથી. આવી સ્ત્રીઓ તેમના પીરીયડના સમયગાળા દરમિયાન વર્કઆઉટ કરવા વિશે મૂંઝવણમાં હોય છે. જો તમે પણ આ જ વિચાર સાથે સંઘર્ષ કરી રહ્યાં છો, તો અમે તમને જણાવીશું કે તે સમયગાળા દરમિયાન કસરત કરવી તે કેટલું યોગ્ય છે.

પીરિયડ્સ દરમિયાન કસરત કેટલી સલામત છે?

સ્ત્રીઓ ઘણીવાર પીરિયડ્સ દરમિયાન આરામ કરે છે. તમે જેટલો આરામ કરો છો તેટલું તમારું શરીર સારું રહેશે. કસરત કરવી કે નહીં તે તમારા શરીર અને તમારી ઇચ્છા શક્તિ પર આધારિત છે. પરંતુ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પીરિયડ્સ દરમિયાન થોડી જરૂરી કસરત કરવી એ ફાયદાકારક છે, એવું પણ જોવા મળ્યું છે કે તે પૂર્વ-માસિક સ્રાવના લક્ષણોને ઘટાડે છે. એટલું જ નહીં, પીરિયડ દરમિયાન કસરત કરીને મહિલાઓને પેટના દુખાવાથી પણ રાહત મળે છે.

કસરત દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો:

પીરિયડ્સ દરમિયાન હળવા વ્યાયામને કારણે શરીરમાં કોઈ સમસ્યા નથી થતી. કસરત દરમિયાન મહિલાઓએ ભારે વજનની ચીજો ન ઉપાડવી જોઈએ આ બાબતની ખાસ કાળજી લેવી જોઈએ. જ્યારે તમે કસરત કરો છો, ત્યારે તમારું શરીર એન્ડ્રોફિન નામનું હોર્મોનનો સ્ત્રાવ કરે છે. જે માસિક સ્રાવને કારણે થતો તણાવ, માથાનો દુખાવો દૂર કરવામાં મદદગાર છે.

આ સમયમાં મહિલાઓ કઈ કસરતો કરી શકે છે?

નૃત્ય કરવું એ સંપૂર્ણપણે સલામત છે. ઘણા અભ્યાસોમાં, તે બહાર આવ્યું છે કે પીરિયડ્સ દરમિયાન ચાલવાથી સ્ત્રીના શરીરને ઘણો ફાયદો થાય છે. આ સમય દરમિયાન કસરત કરવાથી સ્નાયુઓને રાહત મળે છે અને દુખાવો દૂર થાય છે. નૃત્ય એ સારી કસરત છે, આ સિવાય નૃત્ય કરવાથી મન પ્રસન્ન રહે છે. અને હળવા વ્યાયામ હેઠળ ચાલવું, એરોબિક્સ, હળવા યોગ વગેરેથી પીરીયડથી થતા મૂડસ્વીંન્ગની સમસ્યામાં રાહત મળે છે. ખાસ વાત યાદ રાખો કે તમે આ સમય દરમિયાન માત્ર ત્યારે જ કસરત કરો જ્યારે તમારું મન અને શરીર વ્યાયામ કરવા સક્ષમ હોય. પિરિયડસ દરમ્યાન જબરદસ્તી કસરત કરવી ન જોઈએ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર